રાજસ્થાનના જોધપુરમાં એક નિર્માણાધીન ફેક્ટરી મોટી દૂર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેમાં દીવાલ ધરાશાયી થવાના કારણે 8 લોકોના મૃત્યું થયા છે. જો કે હજુ પણ કેટલાંક લોકો નીચે દટાયેલા હોવાની આશંકા હતી. જેમાં હાલ રેસ્કયુ દ્વારા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. 7 લોકોના મૃત્યું અંગેની પુષ્ટી તંત્ર કરી ચૂક્યું છે.
આ દૂર્ઘટના જોધપુરના બાસાની પોલીસ ચોકી ક્ષેત્રમાં થયો. જ્યાં એક નિર્માણાધીન ફેક્ટરીમાં દીવાલ ધરાશાયી થઇ. બાસાની પોલીસ ચોકીની નજીક રામદેવ મંદિરની પાસે ફેક્ટરીમાં નિર્માણાધીન દિવાલ અચાનક ધરાશાયી થઇ અને નીચે અંદાજે 10થી 12 લોકો દટાયાં.
સુચના મળવાની સાથે પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તંત્ર અને પોલીસ દ્વારા દટાયેલા લોકોને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી. અધિકારીઓના જણાવ્યાં અનુસાર ઘટનાસ્થળે દટાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી જારી છે.
Rajasthan: 8 dead & 6 injured after a wall of an under-construction building collapsed in Basni industrial area in Jodhpur today. Rescue operation on.
“CM has announced compensation of Rs 2 lakhs for the family of deceased & Rs 40000 for those critically injured,"says DM Jodhpur pic.twitter.com/neGl6nzDZU
જોધપુર વિભાગીય કમિશનર ડૉ. સમિત શર્માએ આ દૂર્ઘટનામાં 8 લોકોના મૃત્યુંની પુષ્ટિ કરી છે. દૂર્ઘટનામાં કેટલાંક લોકોને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. નિર્માણાધીનમાં રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.