કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર આવ્યાં છે.મોદી સરકારે વધુ એક ભથ્થા પર મંથન શરુ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર
સરકારે વધુ એક ભથ્થા પર મંથન શરુ કર્યું
HRAમાં વધારો થતા પગારમાં બમ્પર વધારો થશે
નાણા મંત્રાલયે રેલવે બોર્ડને દરખાસ્ત પણ મોકલી દીધી
કર્મચારીઓના દિવાળી બોનસ સાથે ડીએ અને ટીએમાં પણ વધારો થયો છે. સાથે જ અગાઉ બાકી મોંઘવારી ભથ્થું પણ ઉમેરવામાં આવી રહ્યું છે. અન્ય ભથ્થાની ચર્ચા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા સાથે કરવામાં આવી રહી છે, જેનો લાભ જાન્યુઆરીથી મળશે.
HRAમાં વધારો થતા પગારમાં બમ્પર વધારો થશે
વાસ્તવમાં આ વધારો હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં કરવામાં આવશે, જેના કારણે પગારમાં બમ્પર વધારો થશે. નાણાં મંત્રાલયે આ અંગે 11.56 લાખથી વધુ કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ)ના અમલીકરણની માંગ પર મંથન શરૂ કર્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.
દરખાસ્ત મંજૂર થયા બાદ કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે
દરખાસ્ત મંજૂર થયા પછી કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી એચઆરએ મળશે. આ કર્મચારીઓના પગારમાં એચઆરએ મળતા જ ખૂબ જ વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (આઇઆરટીએસએ) અને નેશનલ ફેડરેશન ઓફ રેલવેમેન (એનએફઆઇઆર)એ 1 જાન્યુઆરી, 2021થી એચઆરએલાગુ કરવાની માંગ કરી છે.
કર્મચારીઓને મળવા લાગ્યું વધેલું HRA
હકીકતમાં, જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ હોય ત્યારે એચઆરએ આપોઆપ વધારો થઈ જતો હોય છે.ડીઓપીટીના જાહેરનામા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે એચઆરએમાં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને સામેલ કરવાનું શરૂ કર્યું છે. તમામ કર્મચારીઓને એચઆરએ વધવાથી ફાયદો થવા લાગ્યો છે. તેથી, શહેરને હવે કેટેગરી પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકા એચઆરએ મળી રહ્યું છે. આ વધારો ડીએ સાથે 1 જુલાઈ, 2021થી પણ અમલમાં આવ્યો છે.
શહેર પ્રમાણે HRA મળે છે
હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ)ની કેટેગરી એક્સ, વાય અને ઝેડ ક્લાસ શહેરો અનુસાર છે. આનો અર્થ એ થયો કે એક્સ કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે મહિને 5400 રૂપિયાથી વધુ એચઆરએ મળશે. 3600 પ્રતિ માસ વાય ક્લાસને અને ત્યારબાદ ઝેડ ક્લાસને મહિને 1800 રૂપિયા મળશે. એક્સ કેટેગરી 50 લાખથી વધુવસ્તી વાળા શહેરોને આવરી લે છે. આ શહેરોમાં કેન્દ્રીય કર્મચારીઓને 27 ટકા એચઆરએ મળશે. વાય કેટેગરીના શહેરોમાં 18 ટકા અને ઝેડ કેટેગરીમાં 9 ટકા હશે.