રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ભારે રામાયણ થઈ છે. સ્થિતિ એવી થઈ છે કે, પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને આઉટ ઓફ સ્ટોક લખેલું જોવા મળી રહ્યું છે.
રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ
2500માંથી 700 જેટલા પેટ્રોલ પંપ બંધ હાલતમાં
ડિમાન્ડ પ્રમાણે નથી થતી સપ્લાઈ
રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ભારે રામાયણ થઈ છે. સ્થિતિ એવી થઈ છે કે, પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને આઉટ ઓફ સ્ટોક લખેલું જોવા મળી રહ્યું છે. મંગળવારે રાજ્યમાં કુલ 2500માંથી 700 પંપ બંધ હોવાની વિગતો પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનને મળી છે.
આ છે પેટ્રોલની તંગીના કારણો
સૌથી પહેલું કારણ ક્રૂડ ઓયલના વધતાં ભાવો અને પેટ્રોલિયમ કંપનીઓ તરફથી કરવામા આવતી મનમાની તેની પાછળ જવાબદાર છે.
ક્રૂડ ઓયલ મોંઘુ થયું-પહેલા તે 90થી 100 રૂપિયા પ્રતિ બેરલ મળતું જ્યારે 126 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું. રેટ સરકારે ઓછા કરી રાખ્યા છે. તેથી પેટ્રોલિયમ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓએ કોઈ પણ સૂચના વગર જ પાંચ દિવસની ઉધારની સુવિધા બંધ કરી દીધી છે. તેનાથી કેટલાય પેટ્રોલ પંપ સંચાલકોનું નાણાકીય ગણિત ખરાબ થઈ ગયું છે.
જયપુરમાં ફેલાઈ પેટ્રોલ પંપ બંધ થવાની અફવા
આ બાજૂ જયપુર શહેરમાં મંગળવારે અફવા ફેલાઈ છે કે, બુધવારે રાતે પેટ્રોલ પંપ બંધ રહેશે. ત્યારે આવા સમયે શહેરના કેટલાય પેટ્રોલ પંપ પર ભીડ ઉમટી પડી હતી. બાદમાં આરપીડીએના સચિવ શંશાક કૌરાનીએ સ્પષ્ટ કર્યું છે કે, શહેરમાં પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. આ મામલ આશુતોષ એટી પેડણેકર, સચિવ, ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગે કહ્યું કે, તેલ કંપનીઓની પ્રતિનિધિઓ પેટ્રોલિયમ ડીલરની સાથે બેઠક થશે. તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ આ સંકટનું નિરાકરણ આવવાની આશા છે.
રાજસ્થાનના અન્ય જિલ્લાની હાલત
આપને જણાવી દઈએ કે, સિકરમાં રિલાયંસ અને એસ્સારના 80 ટકા પંપ બંધ થઈ ગયા છે. ડીઝલની દરરોજ 5 લાખ લીટરની ડિમાન્ડની સરખામણીએ 4 લાખ લીટર સપ્લાઈ થઈ. ઝૂંઝનૂમાં એડવાંસ રકમ આપવાની માગ બાદ ડિપોમાંથી પેટ્રોલ નથી મળ્યું. ચુરૂમાં ત્રણ દિવસમાં એક જ વાર ડેપોમાંથી પેટ્રોલની સપ્લાઈ થઈ. ભીલવાડામાં પાંચ દિવસમાંથી એક જ વાર પેટ્રોલ અને ડીઝલની સપ્લાઈ થઈ.
જોધપુરમાં 60 પેટ્રોલ પંપ બંધ
શ્રીગંગાનગરમાં એસ્સાર અને રિલયાંસના તમામ પેટ્રોલ પંપ ડ્રાઈ થઈ ચુક્યા છે. પાલીમાંથી 10થી વધારે પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર છે. એડવાંસ બુકીંગ અને એડવાંસ ડીડી લગાવ્યા બાદ ડેપોમાંથી તેલ નથી મળી રહ્યું. જોધપુરમાં 60 પેટ્રોલ પંપ પર ઓયલ ખતમ થઈ ચુક્યું છે. હવે કંપનીઓએ રાશનિંગ શરૂ કર્યું છે. રિલાયંસ અને નાયરાના 50થી 55 પંપ ડ્રાઈ થયા બાદ બંધ છે.
હનુમાનગઢમાં બે દિવસનું જ ઓયલ વધ્યું
હનુમાનગઢમાં રિલાયંસના પંપ 2 દિવસથી બંધ છે. અન્ય પંપ પર બે દિવસનો જ સ્ટોક છે. ધૌલપુરમાં ભારત પેટ્રોલિયમના પંપો પર ડીઝલની ભારે તંગી સર્જાઈ છે. ડેપોમાં પણ બે દિવસમાં એક જ વાર સપ્લાઈ થઈ રહી છે. બાડમેરમાં પણ માગ અનુસાર તેલ મળતું નથી. ડેપોમાથી ઓયલ માટે ત્રણથી ચાર દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. ઉદયપુરમાં એચપીસીએલ, બીપીસીએલ , રિલાયંસના 50 પેટ્રોલ પંપ ડ્રાઈ થયા બાદ બંધ છે. 150 પંપ તંગી સામે ઝઝૂમી રહ્યા છે. જેવો સ્ટોક ખતમ થશે કે આ પેટ્રોલ પંપ પણ બંધ થઈ જશે.