કોરોનાને ડામવા માટે સરકારે હવે કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જોકે આજે કોવિડ ટાસ્ક ફોર્સે મીડિયા સામે આવતા જ ખુબ ગંભીર બાબતો સામે મૂકી છે.
ગુજરાતમાં ત્રીજી લહેર લાવી સુનામી !
વધતા સંક્રમણમાં 60-70 ટકા કેસ ઓમિક્રોનના !
વેકિ્સન ન લેનાર લોકોને ભારે પડી શકે છે ત્રીજી લહેર !
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. તેમાં પણ એક જ દિવસમાં 17 હજાર પાર કોરોનાના કેસ આપતા હવે સરકાર એક્શન મોડમાં આવી છે. કોરોના બેકાબૂ બન્યા બાદ સરકારને કોવિડ ટાસ્ક ફોર્સની યાદ આવી હોય તેમ લાગે છે. જોકે કોરોનાની ત્રીજી લહેરની સુનામી અને ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે પહેલી વખત કોવિડ ટાસ્ક ફોર્સે પત્રકાર પરિષદ યોજી. અને એવી અનેક ચેતવણીઓ આપી જેની ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે. ત્યારે શા માટે ગુજરાતની સરકારે અને જનતાએ ઓમિક્રોનને હલકામાં ન લઈને ગંભીર બનવું જોઈએ.
19 જાન્યુઆરીના દિવસે 20 હજાર પાર કોરોનાના નવા કેસ નોંધાવા તે જ ગુજરાત માટે સૌથી મોટી સુનામી છે. કારણ કે, કોરોનાની બીજી લહેરથી પણ આ આંકડો વટી ગયો છે.. તેવામાં હવે રાજ્યની ભૂપેદ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એટલું જ નહીં પરંતુ કોરોના બેકાબૂ બન્યા બાદ રાજ્ય સરકારને કોવિડ ટાસ્ક ફોર્સની યાદ આવી. કોરોનાને ડામવા માટે સરકારે હવે કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જોકે આજે કોવિડ ટાસ્ક ફોર્સે મીડિયા સામે આવતા જ ખુબ ગંભીર બાબતો સામે મુકાૃ છે. જેમાં ઓમિક્રોનને ગંભીરતાથી લેવા માટે અનુરોધ કર્યો છે. કારણ કે, ઓમિક્રોનની કોઈ દવા નથી. કોવિડ ટાસ્ક ફોર્સના મતે, ગુજરાતમાં 60 થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. જ્યારે 30 ટકા જેટલા ડેલ્ટા વેરિયન્ટના કેસો છે. હાલના સમયમાં ઓમિક્રોન ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેવામાં વેકિ્સન નથી લીધી તેમણે અને બાળકોએ સજાગ રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
હોસ્ટપિટલમાં દર્દીઓ નહીવત્
મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં જેટલા પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેની સામે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા માત્ર 1 થી 2 ટકા જેટલી જ છે. તેવામાં લોકો કોરોનાને ગંભીરતાથી નથી લેતા. પરંતુ હકિકત એ છે કે, ઓમિક્રોન વેરિયન્ટને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે, આ ઓમિક્રોન હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી. તેવામાં આ રોગનો ફેલાવો અટકાવવો જરૂરી છે.
જોકે અહીં આપણા માટે એક સારી બાબત એ છે કે, ઓમિક્રોનથી સંક્રમિત થતા લોકોને હોસ્પિટલમાં દાખલ નથી થવું પડી રહ્યું. મોટા ભાગના લોકો ઘરમાં જ આઈસોલેટ થઈ રહ્યા છે. માત્ર 4 થી 5 દિવસમાં જ સાજા થઈ રહ્યા હોવાનો પણ કોવિડ ટાસ્ક ફોર્સે દાવો કર્યો છે.
હવે આ ત્રીજી લહેરમાં ગંભીરતા કેમ દાખવવાની જરૂર છે તે અંગે જો વાત કરવામાં આવે તો. ઓમિક્રોન અને ડેલ્ટા બંનો વચ્ચે મોટો તફાવત છે.. ઓમિક્રોન કોઈપણ હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી. જ્યારે ડેલ્ટા તોફાની વેરિઅન્ટ હતો. શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. જ્યારે ડેલ્ટાના સંક્રમણ સમયે વેકિક્સનેશન ઓછું હતું. જેના કારણે દર્દીઓને વધુ પ્રમાણમાં હોસ્પિટલ દાખલ કરવા પડતા હતા.
ઓમિક્રોનમાં મૃત્યુદર ખુબ ઓછો છે. જ્યારે ડેલ્ટામાં ખુબ મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુ થયાં હતાં. આમ જો ઓમિક્રોન અને ડેલ્ટાની સરખામણી કરીએ તો. ઓમિક્રોન ઓછોઅસરકારક છે. પરંતુ વેકિ્સન નથી લીધી તેમના માટે તો જીવલેણ જ છે. આ સાથે ચેપી પણ એટલો જ છે. જેથી આશા રાખીએ કે, ગુજરાતની જનતા આ ઓમિક્રોન વેરિયન્ટને ગંભીરતાથી લે. કારણ કે, સંક્રમણ ન રોકાયું તો તેના ગંભીર પરિણામો પણ ગુજરાતની જનતાને ભોગવવા પડી શકે છે.