પોરબંદરમાં કાર અને બાઈક વચ્ચે ટક્કરમાં 2ના મોત, ભરૂચમાં પતંગ ચગાવતા આધેડ પટકાયો, મોરબીમાં કેનાલમાં કાર ખાબકતા 2ના મોત તો પાટણમાં ડૂબેલા ભાઈ-બહેનના મૃતદેહ મળ્યા
પોરબંદરના રાણાવાવ પાસે અકસ્માતમાં 2 બાળકોના મૃત્યું
ભરૂચના નેત્રંગમાં આધેડનું મૃત્યું
પાટણમાં ડૂબી ગયેલા ભાઈ-બહેનના આખરે મૃતદેહ મળ્યા
પોરબંદરના રાણાવાવ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 બાળકોના મૃત્યુ થયા.ભરૂચમાં શાળાના ધાબે ચઢેલા આધેડ નીચે પટકાતા મોત થયું છે,પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મોરબી જિલ્લાના હળવદના એક ગામ ખાતે કેનાલમાં કાર ખાબકતાં દંપતીનુ અવસાન થયુ છે.હળવદ તાલુકાના અજીતગઢ પાસે આવેલ નર્મદાની માળીયા કેનાલમાં કાર ખાબકતાં કારમાં સવાર પતિ - પત્નીનુ મોત થયુ હતું.બન્નેની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.પોલીસને ઘટનાની જાણ થતાં મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો
કાર અને બાઈક વચ્ચે ટક્કરમાં 2ના મોત
પોરબંદરના રાણાવાવ પાસે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત થયો છે. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટકકરમાં 2 બાળકોના મૃત્યુ થયા છે. દુર્ઘટના રાણાવાવના રાણાવડવાળા ગામ
પાસે થઈ હતી. જેમાં 1 વ્યકિતને ગંભીર ઈજા પહોંચી છે.
પતંગ ચગાવતા આધેડ પટકાયો
ભરૂચના નેત્રંગમાં ગુજરાતી શાળાના ધાબા ઉપરથી પટકાતા આધેડનું મૃત્યુ થયું છે. પતંગ ચગાવવામાં મશગુલ આધેડે અચાનક સંતુલન ગુમાવતા આ ઘટના ઘટી હતી. નેત્રંગ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કેનાલમાં કાર ખાબકતા 2ના મોત
મોરબી જિલ્લાના હળવદના એક ગામ ખાતે કેનાલમાં કાર ખાબકતાં દંપતીનુ અવસાન થયુ છે. હળવદ તાલુકાના અજીતગઢ પાસે આવેલ નર્મદાની માળીયા કેનાલમાં કાર ખાબકતાં કારમાં સવાર બન્ને પતિ - પત્નુનુ મોત થયુ હતુ.અકસ્માતમાં મૃત્યૂ માપનારનુ નામ મિતલ આહીર અને રાહુલ આહીર હોવાનુ સામે આવ્યુ છે... બન્નેની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો
પિતરાઈ ભાઈ-બહેન ડૂબ્યાનો મામલો
પાટણની ચંદ્રુમાણા ગામની નર્મદા કેનલામાં પિતરાઈ ભાઈ-બહેનનો કેનાલમાં ડૂબી ગયા હતા. બુધવારે સાંજે અકસ્માતે નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબ્યા હતા. ત્રણ દિવસથી NDRFની ટીમ બંને શોધખોળ કરી રહી હતી. બાદમાં 62 કલાકની જહેમત બાદ ધ્રુવ પટેલ અને સગીર બહેન પ્રાચી પટેલ઼નો મૃતદેહ મળી આવ્યો છે. બનાસકાંઠાના ખારીયા કેનાલમાંથી ધૃવનો મૃતદેહ મળ્યો છે જ્યારે ભલાણા નજીક કેનાલમાંથી સગીર પ્રાચીનો મૃતદેહ મળ્યો છે.