કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 70 પહોંચ્યો છે. સુરતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યમાં વધુ બે દર્દી સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 70 પર પહોંચ્યો
સુરતમાં વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદમાં કોરોના સંક્રમિત 2 દર્દીઓ થયા રિકવર
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સુરતમાં કોરોના પોઝિટિવના કુલ 9 કેસ થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
જ્યારે ભાવનગરમાં વધુ 5 અને અમદાવાદમાં વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 70 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે હાલમાં 63 લોકો સારવાર હેઠળ છે. બે દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં 59 લોકોની હાલત સ્થિર છે, જ્યારે 2 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
વિદેશથી આવેલા 32 લોકોના રિપોર્ટ પોઝિટિવ
રાજ્યમાં વિદેશથી આવેલા 32 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે બીજા રાજ્યથી આવેલા 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આ ઉપરાંત 33 લોકલ લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના 3 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીના 3 દર્દીઓનાનો ટેસ્ટ કરાયો હતો. આ ત્રણેય લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત થઈ છે. 4 દિવસ બાદ GG હોસ્પિટલમાંથી રિપોર્ટ જાહેર કરાયો છે. GG હોસ્પિટલમાં અત્યાર સુધી 187 નમૂનાઓનું પરીક્ષણ કરાયું છે.
અમદાવાદમાં કોરોના સંક્રમિત 2 દર્દીઓ થયા રિકવર
રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બે દર્દીઓ રિકવર થયા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા બે દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. 62 અને 62 વર્ષીય બે પુરૂષ રિકવર થઈને ઘરે ગયા છે. 10 દિવસ પહેલા બન્ને દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ તેઓ ઠીક થઈને હોસ્પિટલમાં ઘરે ગયા છે.