ભારતીય રેલટેલ કોર્પોરેશનના સીએમડી પુનીત ચાવલાએ શનિવારે કહ્યું કે રેલ મંત્રાલયના આદેશ પર જલ્દીથી દેશના તમામ 6400 સ્ટેશનો પર વાઇફાઇ સેવાથી જોડવામાં આવશે.
દેશમાં બે હજાર રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ ફાઇની સુવિધા ઉપલબ્ધ થશે. રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. જલ્દીથી દેશના તમામ રેલવે સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ થશે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાનું સપનું પૂરું કરવા માટે ભારત એક સ્ટેપ આગળ વધી ગયું છે.
Milestone achieved with over 2,000 Railway Stations connected to free & fast Wi-Fi.
A step towards PM @NarendraModi ji's vision of a Digital India, people from villages & small towns are being digitally empowered with access to knowledge and the outside world. pic.twitter.com/bXfuaYhbS5
એક દિવસના પ્રવાસ પર અજમેર પહોંચેલા ચાવલાએ જણાવ્યું કે રાજસ્થાનમાં અજમેર મંડળના ઉદેયપુરનું નજીક રાણાપ્રતાપ નગર સ્ટેશન 2000મું સ્ટેશન બની ગયું છે. જેને રેલ વાયર વાઇફાઇ ઝોનથી જોડી દેવામાં આવ્યું છે. જેના દ્વારા રેલ યાત્રી તીવ્ર અને રેલ વાયર વાઇફાઇ સેવાથી જોડાઇ ગયા છે. રાણાપ્રતાપ નગર સ્ટેશન દેશનું 2000 મું સ્ટેશન છે જે સાર્વજનિક વાઇફાઇથી જોડવામાં આવ્યું છે. બે મહિનામાં હૉલ્ટ સ્ટેશનોને છોડીને તમામ સ્ટેશનોને આવી રીતે જ જોડવામાં આવશે. જેના માટે રેલટેલ પ્રયત્ન કરી રહી છે.
એમને જણાવ્યું કે રાજસ્થાનમાં ગ્રામીણોની સુવિધા માટે આવી ગ્રામ પંચાયતો જ્યાં વાઇફાઇની સુવિધા નથી, ત્યાં રેલટેલ તરફથી વાઇફાઇ સેવાઓ પૂરી પાડવામાં આવશે. રેલટેલ કોર્પોરેશન રેલ મંત્રાલયની તટસ્થ દૂરસંચાર સેવા પ્રદાતાઓમાંથી એક છે જે દેશના ઘણા મહત્નવપૂર્ણ કસ્બા, ગ્રામીણ ક્ષેત્રો અને શહેરોને જોડતા પાન ઇન્ડિયા ઓપ્ટિક ફાઇબર નેટવર્ક દ્વારા સુવિધા પૂરી પાડે છે.
પહેલા તબક્કામાં દેશના 1600 સ્ટેશનો પર વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે રેલટેલે બાકી સ્ટેશનો પર ઇન્ટરનેટની સુવિધા આપવા માટે ટાટા ટ્રસ્ટની સાથે સમજૂતી કરી છે. એને એખ સરકારી નિવેદનમાં જણાવ્યું છે કે એની ટીમ વાઇ ફાઇ ઉપલબ્ધ કરાવવા માટે 24 કલાક કામ કરી રહી છે.