શુક્રવારની મોડી રાત્રે દિલ્હી NCR, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં 10.31 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકો ઘરબહાર દોડી આવ્યા હતા.
દિલ્હી NCR, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં ભૂકંપ
તાજીકિસ્તાનમાં ભૂકંપનું કેન્દ્ર હોવાની માહિત
રેક્ટર સ્કેલ પર 6ના સ્કેલમાં ભૂકંપ નોંધાયો
દિલ્હી NCR, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં 10.31 કલાકે ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપના ભારે આંચકાનો અનુભવ લોકોને થયો છે. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર તાજીકિસ્તાનમાં હોવાની પ્રાથમિક માહિતી છે. અને ભૂકંપનો આંચકો 6ની તિવ્રતાનો હોવાની પણ માહિતી સામે આવી છે.
આપને જણાવી દઇએ કે, ભૂકંપનું કેન્દ્ર તાજીકિસ્તાન હોવાનું સામે આવ્યું છે અને તે જગ્યાએ ભૂકંપની તીવ્રતાને રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાયા છે. ભારતના ઉત્તર ભારતમાં આવેલ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.1 નોંધાઇ હતી.
Not since the earthquake of 2005 have the tremors in Srinagar been bad enough to force me out of the house. I grabbed a blanket & ran. I didn’t remember to take my phone & so was unable to tweet “earthquake” while the damn ground was shaking.
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?