ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે દિવસને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે મનપા દ્વારા કોરોનાને કારણે દેવદિવળીએ પણ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. આજે દેવોની દિવાળી છે.
દેવદિવાળી પર દેવોના મંદિર પર લોકડાઉન
કોરોનાને કારણે દેવદિવાળીની ઉજવણી ફિક્કી
60 ટકા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ
કાર્તિકી પૂર્ણિમા એટલે દેવ દિવાળી. દેવોની દિવાળી પર દેવના મંદિર પર લોકડાઉન કરવામાં આવ્યું છે. દેવદિવાળી પર કોરોનાની મહામારી હાવી થઈ ગઈ છે. જેને લીધે દેવોની દિવાળી દેવ દિવાળી ફિક્કી લાગી રહી છે.
કોરોનાને લીધે શહેરોમાં દેવ દિવાળીની ઉજવણી ફિક્કી
પ્રથમ વાર દેવ દિવાળી પર 60 ટકા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે. જેને લીધે કેમ્પ હનુમાન મંદિર માં 50 વર્ષથી ચાલી આવતી અન્નકૂટની પરંપરા તૂટી છે. શાહીબાગ સ્વામિનારાયણ મંદિર , ઇસ્કોન મંદિર ,ભાડજ રાધા ક્રિષ્ના મંદિર પણ આજે બંધ રહેશે. દેવ દિવાળી પર દર્શનાર્થીઓની ભીડ અટકાવવા પ્રતિબંધ રખાયો છે. આ સિવાયના અમદાવાદના મોટા ભાગના મંદિર દેવદિવાળીને દિવસે ભાવિક ભક્તો માટે બંધ રખાયા છે.
દેવ દિવાળીએ મંદિરોમાં દિપોત્સવ અને અન્નકુટ યોજાય
પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવદિવાળી ઉજવવામાં આવે છે. આજે રાજ્યના મોટા ભાગના મંદિરોમાં દિપોત્સવ અને અન્નકુટ યોજાશે જો કે કોરોના મહામારીના કારણે રાજ્યના ઘણા જાણીતા મંદિરોમાં તકેદારીરૂપે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે. દિવાળીના મંગલ પર્વોની પણ આજે પૂર્ણાહૂતિ થાય છે.