વલસાડ નજીક પાર નદીમાં નાહવા પડેલા 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા છે. જે 6 પૈકી 2 વિદ્યાર્થીઓના મોત થયાંના સમાચાર મળ્યા છે. પાર નદીમાં વિદ્યાર્થીઓ નાહવા પડ્યા અને ત્યાં ડૂબ્યાં હતાં. જોકે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે.
વલસાડમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા
વલસાડ નજીક પાર નદીમાં નાહવા પડેલ 6 વિદ્યાર્થીઓ ડૂબ્યાની વિગતો પાપ્ત થઈ છે. પાપ્ત માહિતી અનુસાર 6 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોત થયાં છે. 4 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે જ્યારે બે વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કઢવામાં આવ્યાં છે. વલસાડના ચન્દ્રપુરગામના તરવૈયાઓએ ચાર વિદ્યાર્થીઓને ડૂબતા બચાવી લીધા છે. વલસાડ રૂરલ પોલીસ તેમજ ફાયરની ટિમ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. તમામ ગવર્મેન્ટ પૉલિટૅક્નિક કોલેજના વિધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
આ ચકચારી ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો ગરકાવ થયો છે
અગાઉ ધ્રાંગધ્રામાંમાં ડૂબવાથી 5 બાળકોના મોત થયા હતા
ગત ઓગસ્ટ મહિનામાં ધ્રાંગધ્રામાં પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને કદાચ સ્વપ્નેય ખ્યાલ નહી હોય કે હવે તેઓ પાંચેય જણા સાથે ક્યારેય નહી મળી શકે. મોજ મસ્તીમાં તેઓ તળાવમાં ન્હાવા તો પડ્યા પરંતુ વરસાદને કારણે તળાવમાં વધારે પાણી હોવાથી પાંચેય બાળકો તણાઇ ગયા હતા. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.