આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે.
ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માત
6 લોકોના મૃત્યુ, 6 લોકો ઘાયલ
ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ
ફરાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માત
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે 6 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મામલે પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ફરાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Andhra Pradesh: 6 people died and 6 sustained injuries after a lorry hit an autorickshaw in Gollapali Village of Krishna district. Injured were taken to a government hospital. A case has been filed while search for the lorry driver is still underway. pic.twitter.com/SyWeLtWHfQ
અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત બાદથી જ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર પોલીસ ઇન્સ્પેકટર વેંકટ નારાયણે જણાવ્યું હતું કે આજે સવારે 4 વાગ્યે ગોલાપલ્લી ગામની પાસે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી અને ઓટો રિક્ષા 12 લોકો સવાર હતા અને ચાલક સહિત 6 લોકોના અવસાન થયા છે.
ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરીને હાથ ધરી શોધખોળ
તેમણે જણાવ્યું છે કે ઇજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત અત્યારે ગંભીર છે અને સારી સારવાર માટે વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ આઈપીસીની ધારા 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે.