દિલ્હીમાં કોરોના બાદ હવે ડેન્ગ્યુએ ઉથલો માર્યો છે. 2021 માં ડેન્ગ્યુથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 2016 બાદ સૌથી વધારે હતી. તો વર્ષ 2016 માં ડેન્ગ્યુથી મૃત્યુ પામનારાઓની સત્તાવાર સંખ્યા 10 હતી. 2019 માં ડેન્ગ્યુથી બે, 2018 માં ચાર અને 2017 અને 2016માં પ્રત્યેક 10-10 નાં મોત નોંધાયા હતાં.
દિલ્હીમાં છેલ્લાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા છ કેસ નોંધાયા
અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા 48 થઈ ગઈ
મેલેરિયાના ચાર અને ચિકનગુનિયાના આઠ કેસ નોંધાયા
દિલ્હીમાં છેલ્લાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા છ કેસ નોંધાયા, જેના લીધે આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા 48 થઈ ગઈ છે. સોમવારે રજૂ કરાયેલા ત્રણ મહાનગરપાલિકાના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં એવું કહેવાયું કે, શહેરમાં આ વર્ષે 5 માર્ચ સુધીમાં ડેન્ગ્યુના 42 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય ડેન્ગ્યુના સંદર્ભમાં સોમવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ આ વર્ષે 12 માર્ચ સુધીમાં કુલ 48 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.
રિપોર્ટ અનુસાર, 2021 પહેલાં વર્ષ 2020 માં ડેન્ગ્યુના 1,072, 2019 માં 2036, 2018માં 2,798, 2017માં 4,726 અને 2016માં 4,431 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. 2015માં ઓક્ટોબરમાં જ ડેન્ગ્યુના કેસોની સંખ્યા 10,600ને વટાવી ગઈ હતી. જે 1996 બાદથી રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના કેસ સૌથી વધુ હતાં.
દિલ્હીમાં અત્યાર સુધીમાં મેલેરિયાના ચાર અને ચિકનગુનિયાના આઠ કેસ નોંધાયા
દિલ્હીમાં 2021 માં ડેન્ગ્યુથી મૃત્યુઆંક 2016 બાદ સૌથી વધારે હતો. વર્ષ 2016માં ડેન્ગ્યુથી સત્તાવાર મૃત્યુઆંક 10 હતો. દિલ્હીમાં ડેન્ગ્યુથી 2019માં બે, 2018માં ચાર અને 2017 અને 2016માં 10 મોત નોંધાયા હતાં. સોમવારે જાહેર કરાયેલા નાગરિક સંસ્થાના અહેવાલ મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં મેલેરિયાના ચાર અને ચિકનગુનિયાના આઠ કેસ નોંધાયા છે.
જાણો ડેન્ગ્યુના લક્ષણો:
સખત તાવ આવવો
તાવ ચઢઉતર થવો
બેચેની કે ઊલટી-ઊબકા થવા
સ્કીન રેશિસ એટલે કે ચકામાં પડી જવા
માથું દુખવું
શરીરનો દુ:ખાવો
હાડકાં દુ:ખવા
લક્ષણો મોટે ભાગે 2 થી 7 દિવસ સુધી વધારે જોવા મળતા હોય છે ત્યાર બાદ ઓછા થઈ જાય છે.
જાણો ટ્રીટમેન્ટ?
તમને જાણીને નવાઈ લાગશે કે ડેન્ગ્યુની કોઈ ટ્રીટમેન્ટ નથી. એટલે કે એવી કોઈ ગોળી નથી જે ખાઈ લેવાથી ડેન્ગ્યુ મટી જાય. પણ એની સારવાર સિમ્પટોમેટિક એટલે કે લક્ષણો અનુસાર થતી હોય છે.