આસામ અને મેઘાલય બોર્ડર પર ફોરેસ્ટ ગાર્ડ ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને રોકવા મામલો બિચક્યો હતો. ત્યારે ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા ફોરેસ્ટ ગાર્ડ ટ્રકનું ટાયર પંક્ચર કરી દીધું હતું.
ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા ફોરેસ્ટે ગાર્ડ ફાયરીંગ કર્યું
આસામ અને મેઘાલયની બોર્ડર પર હિંસક અથડામણને મામલો ફરી સામે આવ્યો છે. જેમા જણાવવામાં આવી રહ્યું છે કે આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મંગળવારે સવારે 3 વાગ્યે મેઘાલય બોર્ડર પર ગેરકાયદેસર રીતે લાકડા લઈ જતી ટ્રકને રોકી હતી. જ્યારે ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોરેસ્ટ ગાર્ડે ફાયરીંગ કર્યું અને ટ્રકનું ટાયર પંક્ચર કરી દીધુ હતું.. આ પછી ટોળાએ ફોરેસ્ટ ગાર્ડને ઘેરી લીધો અને તેની પર ફાયરીંગ શરૂ કર્યું.
આસામ અને મેઘાલય વચ્ચે સરહદ વિવાદને લઈ ફરી એકવાર હિંસક અથડામણ સામે આવી છે. તાજેતરમાં વિવાદમાં ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે મૃતકોમાં મેઘાલયના 5 લોકો અને એક ફોરેસ્ટ ગાર્ડને સમાવેશ થાય છે.ઘટના કોઈ મોટું સ્વરૂપ ન લે એટલા માટે મેઘાલય સરકારે સાવચેતીના પગલા તરીકે 7 જીલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી
આસામ વન વિભાગે મંગળવારે સવારે 3 વાગ્યે મેઘાલય બોર્ડર પર ગેરકાયદે લાકડા વહન કરતી ટ્રકને રોકી હતી. જ્યારે ટ્રકે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોરેસ્ટ ગાર્ડે ફાયરિંગ કર્યું અને ટ્રકનું ટાયર પંચર થઈ ગયું. આ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
લોકો હથિયાર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા
મળતી માહિતી મુજબ ભાગી ગયેલ લોકો અંગે વનરક્ષકે જીરિકેન્ડિંગ પોલીસ સ્ટેશનમાં ઘટના વિશે જાણ કરી વધારો પોલીસ ફોર્સની માંગણી કરી છે. જ્યાં સુધી પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો હથિયારો સાથે પહોંચી ગયા હતા.
એક ફોરેસ્ટ ગાર્ડ અને 5 મેઘાલયના રહેવાસીઓનાં મોત
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ જણાવ્યું કે કુલ 6 લોકો માર્યા ગયા છે. તેમાંથી એક ફોરેસ્ટ ગાર્ડ છે અને 5 લોકો મેઘાલયના રહેવાસી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેઘાલય પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. સીએમ સંગમાના જણાવ્યા અનુસાર, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી-ભોઈ, પૂર્વીય પશ્ચિમ ખાસી હિલ્સ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમિત શાહની હાજરીમાં થઈ હતી સમજૂતી કરાર
29 માર્ચ, 2022ના રોજ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 50 વર્ષથી ચાલી રહેલા સરહદ વિવાદ પર આસામ અને મેઘાલય વચ્ચે સમજૂતી થઈ હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા રાજધાની દિલ્હીમાં ગૃહમંત્રી શાહને મળ્યા હતા. આ દરમિયાન સરહદ વિવાદ ઉકેલવા માટે સમજૂતી કરવામાં આવી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે બંને રાજ્યોની 70 ટકા સરહદ આજે વિવાદથી મુક્ત થઈ ગઈ છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું કે અમે આગળના વિવાદને પણ વાતચીત દ્વારા ઉકેલીશું. તેમણે કહ્યું કે આજે ઘણું કામ થયું છે. શાહે પીએમ મોદી અને ભારત સરકાર વતી બંને રાજ્યોના મુખ્યમંત્રી અને તેમની ટીમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ જોયેલું વિકસિત નોર્થ ઈસ્ટનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે.
મેઘાલયની રચના પછી શરૂ થયો વિવાદ
આ વિવાદ મેઘાલયની રચના પછી જ શરૂ થયો હતો. આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન, સરહદ વિવાદ એક મુખ્ય મુદ્દો હતો. હકીકતમાં, આસામ સરકારનું એક ગેસ્ટ હાઉસ, જેનો ઉપયોગ તરુણ ગોગોઈ દ્વારા સત્તાવાર નિવાસ તરીકે કરવામાં આવી રહ્યો હતો, તે પણ વિવાદમાં આવ્યો હતો. આ ગેસ્ટ હાઉસ ખાનપારા-પિલાંગકાટા બ્લોકમાં એક નાની ટેકરી પર આવેલું છે. મેઘાલય આ વિસ્તારને પોતાનો દાવો કરતું આવ્યું છે. આ સરકારી ગેસ્ટ હાઉસ 1976માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુવાહાટી આવેલા વીઆઈપી માટે બનાવવામાં આવ્યું હતું. મેઘાલયે હંમેશા ધ્યાન રાખ્યું છે કે હાલના રેકોર્ડ્સ આ જમીન પર પોતાનો દાવો સાબિત કરે.