રશિયાના હુમલા બાદ યુક્રેનમાં હાલત સતત ભયંકર થતી જાય છે. ત્યારે આવા સમયે ત્યાં ફસાયેલા લોકોના જીવ પર આવી બન્યું છે. ડરના માહોલમાં સંકટગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો ભારે ધમાકા વચ્ચે ત્યાંથી નિકળવાની કોશિશ કરવા લાગ્યા છે.
યુક્રેનમાં ભયંકર હાલત
ભારતીયોને કાઢવાની પ્રક્રિયા ઝડપી બની
6 એરલાઈન્સ કંપની કામે લાગી
રશિયાના હુમલા બાદ યુક્રેનમાં હાલત સતત ભયંકર થતી જાય છે. ત્યારે આવા સમયે ત્યાં ફસાયેલા લોકોના જીવ પર આવી બન્યું છે. ડરના માહોલમાં સંકટગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો ભારે ધમાકા વચ્ચે ત્યાંથી નિકળવાની કોશિશ કરવા લાગ્યા છે. કેટલાય લોકો સોશિયલ મીડિયા પર ભાવૂક વીડિયો પોસ્ટ કરીને જણાવી રહ્યા છે, હાલ તેઓ કેવા ડરની વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે આવા સમયે ભારત સરકાર વતી ઓપરેશન ગંગાની શરૂઆત કરવામાં આવી છે, જેથી ત્યાં ફસાયેલા લોકોને જલ્દી ત્યાંથી વતન વાપસી થઈ શકે.
6 એરલાઈન્સ કંપની કામે લાગી
ત્યાર બાદ સરકારે ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જેમાં 6 ખાનગી એરલાઈન્સ કંપનીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તો વળી ભારતીય વાયુસેનાએ પોતાના સૌથી મોટા માલવાહક વિમાન ગ્લોબમાસ્ટર સી-17 દ્વારા હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં લાગી ગયું છે. જેનું પરિણામ એ આવ્યું કે, કેટલાય ભારતીય ડરના માહોલમાંથી નિકળી પોતાના વતન પહોંચી ચુક્યા છે.
10 માર્ચ સુધીની રણનીતિ તૈયાર
ઓપરેશન ગંગામાં Air India, Air India Express, Indigo, Spicejet, Air Asia, Go Air ઉપરાંત IAFના વિમાન પણ સામેલ છે. જે દ્વારા હજારો ભારતીયોની હેમખેમ વાપસી થઈ છે. જો કે, હજૂ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે, પણ તેમને બહાર કાઢવાની કવાયત ઝડપી બની છે. 10 માર્ચ સુધી રણનીતિ અનુસાર યુક્રેનના પાડોશી દેશોની 6 જગ્યાએથી ભારત માટે 100 જેટલી ફ્લાઈટ ઉડાન ભરશે, જેમાં સૌથી વધારે ફ્લાઈટ્સ બુખારેસ્ટના રસ્તેથી ભારત આવી પહોંચશે.