આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જ્યારે તેમણે અમદાવાદમાં આપના કાર્યાલયનું ઉદઘાટન કર્યુ હતું.
AAPના ગુજરાત પ્રભારીનું પાકિટ ચોરાયું
AAP કાર્યાલયના ઉદઘાટન સમયે બની ઘટના
ગુલાબસિંહ યાદવનું પાકિટ ચોરાયું
AAPના કાર્યાલયના ઉદઘાટન સમયે બની ઘટના
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે હતા, ગુજરાતના રાજકારણ માટે આ મુલાકાત ખૂબ મોટી સાબિત થઈ જે બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ હરકતમાં આવી છે. અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. એરપોર્ટથી લઈને સર્કિટ હાઉસ સુધી મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન એક ધારાસભ્ય સહિત પાંચ લોકોના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે.
AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કપાયું
આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જ્યારે તેમણે અમદાવાદમાં આપના કાર્યાલયનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ભેગા થયા હતા ત્યારે કોઈક ગઠિયો AAPના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવનું ખિસ્સુ કાપી ગયુ હતું. નોંધનીય છે કે ગુલાબ સિંહ સિવાય બીજા ચાર લોકોના પાકીટ પણ ચોરાયા હતા.
મહત્વનું છે કે આજે અમદાવાદમાં AAPના પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન માટે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. જ્યાં જાણીતા મીડિયાના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ વિધિવત્ રીતે પક્ષમાં જોડાયા હતાં. આ પ્રસંગે કેજરીવાલે ગુજરાતમાં તમામ બેઠકો પર આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં લડવાની જાહેરાત કરી હતી.
કેજરીવાલનું મોટું એલાન
પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે.
ગુજરાતમાં બદલાવ લાવવાનો છે : ઈસુદાન ગઢવી
AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ તેની સામે કોઈ વિકલ્પ ન હતો.