આજે એટલે કે 1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થઈ રહ્યું છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ લોકો આખા વર્ષ માટે તેમની નાણાકીય યોજનાઓ બનાવે છે.
નવા નાણાકીય વર્ષમાં આ રીતે કરો પ્લાનિંગ
ઈન્શ્યોરન્સને જરૂરીયાતના હિસાબથી કરો સિલેક્ટ
જાણો તેના વિશે
ફાયનાન્શિયલ પ્લાનિંગમાં સૌથી મહત્વપૂર્ણ ટિપ્સ છે કે ઈનકમ શરૂ થવાની સાથે તમે પોતાનું બજેટ બનાવી લો. તમારી પાસે શું આવી રહ્યું છે અને શું જઈ રહ્યું છે તેનો લેખીત વ્યોરા હોવો જોઈએ. ખર્ચ બાદ શું સેવિંગ થઈ રહી છે તેનું આકલન કરો. ત્યાર બાદ રોકાણની યોજના બનાલો. હાં, રોકાણ પહેલા તમે પોતાના બજેટમાં કોઈ આકસ્મિક ખર્ચ વખતે થતા ખર્ચ માટે પૈસા ક્યાંથી લાવશે તેની યોજના જરૂર તૈયાર કરો.
ટેક્સની કરો પ્લાનિંગ
શું તમે ઈનકમ ટેક્સની પ્લાનિંગ દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં કરો છો? નથી કરતા તો કરવાનું શરૂ કરી દો અને તેના માટે અમુક રકમ પણ નાખવાની શરૂ કરી દો. તેનાથી તમે છેલ્લે કોઈ ભૂલ નહીં કરો અને તમારી ઉપર કોઈ બોજ નહીં પડે.
ઈન્શ્યોરન્સને જરૂરીયાતના હિસાબથી કરો સિલેક્ટ
ઈન્શ્યોરન્સ તમારા પરિવારના લોકોને એક્સીડેન્ટ અથવા કોઈ જરૂરી સ્થિતિમાં આર્થિક નુકસાન થવા પર તેની ચુકવણી કરે છે. તમે પોતાનો ઈશ્યોરન્સ જરૂરીયાતોનું મુલ્યાન્કન કરો અને તેના હિસાબથી ઈન્શ્યોરન્સ લો. તમારા માટે સારૂ રહેશે કે તમે ટર્મ ઈન્શ્યોરન્સ લો જે ઈન્શ્યોરન્સનું સૌથી સસ્તુ ઓપ્શન હોય છે.
લાલચમાં આવીને ન કરો રોકાણ
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ વધી રહ્યું છે. જો કે, બજેટ 2020માં તેનાથી થતા નફા પર 30 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. ગિરીશ ગણરાજે કહ્યું, 'અમે અમારા ગ્રાહકોને સલાહ આપવા માંગીએ છીએ કે જો તમારા પૈસા એવા પૈસા છે કે તમને તે ગુમાવવાનું દુઃખ ન થાય, તો તમે તેને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકો છો.' તેમણે કહ્યું કે આ એક સટ્ટાકીય રોકાણ છે, તેથી તમારી પાસે પોર્ટફોલિયોમાં તેનો નાનો હિસ્સો હોઈ શકે છે. 30 ટકા ટેક્સ પછી તેનું રિટર્ન હવે પહેલા જેવું નહીં રહે.
નાણાકીય યોજનાની સમીક્ષા કરતા રહો
તમારી નાણાકીય યોજનાના અમલીકરણ પછી પણ તમારે તેના પોર્ટફોલિયોના પ્રદર્શન પર નજર રાખવી જોઈએ. હકીકતે મોટાભાગના લોકો તેમની યોજના પર ધ્યાન ન આપીને ભૂલો કરે છે. જેના માટે તેમને નુકસાન સહન કરવું પડે છે. જો, તમે ક્યાંક રોકાણ કર્યું છે અને તે તમારા ટાર્ગેટ મુજબ પરફોર્મ કરી રહ્યું નથી. તો તમારે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ અને અન્ય કોઈ રોકાણના માર્ગમાં રોકાણ કરવું જોઈએ. મૂલ્યાંકન લેવાથી તમને તમારી નાણાકીય યોજનાને વધુ તીક્ષ્ણ બનાવવામાં મદદ મળશે.