દેશમાં રોજગાર વધારવા માટે કેન્દ્રિય મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત યોજનાને મંજૂરી આપી દીધી છે. સામાજીક સુરક્ષા સંહિતાને આગલા વર્ષે 1 એપ્રિલથી લાગૂ કરવાની તૈયારી છે. જેનાથી દેશભરમાં 40 કરોડ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા કારીગરો માટે EPFOના દરવાજા ખુલી શકે છે.
EPFOને લઇને મોટો નિર્ણય
આત્મનિર્ભર યોજના હેઠળ મળશે લાભ
40 કરોડ કર્મચારીઓેને મળશે આ ફાયદો
નવા વર્ષમાં EPFOને સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને લાગૂ કરવા પર ધ્યાન આપતા પ્રયાસ થઇ રહ્યાં છે. આ યોજના બાદ અસંગઠિત ક્ષેત્ર પણ EPFO હેઠળ આવશે.
22810 કરોડ રૂપિયાની છે યોજના
આ સ્કિમ હેઠળ તે કર્મચારીઓને કવર કરવામાં આવશે જેમણે 1 ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 વચ્ચે નોકરી જોઇન કરી છે. આ યોજના પર હાલના નાણાકીય વર્ષમાં 1584 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તો 2020-2023 સુધી સંપૂર્ણ યોજના અવધિ દરમિયાન ખર્ચ 22810 કરોડ રૂપિયા આવશે.
દેશમાં 40 કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્ર
દેશમાં 40 કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્ર છે કે જે કોઇ પણ પ્રતિષ્ઠાન કે વેતન રજીસ્ટરમાં નથી આવતા. સરકારે આ દરેક સંસ્થાને ઇપીએફઓ હેઠળ લાવવાની યોજના બનાવી છે.
સરકાર કરશે આ મદદ
સબ્સિડી એમ્પલોયર્સદ દ્વારા બે વર્ષ માટે કરવામાં આવેલા રિટાયર્મેન્ટ ફંડ કંટ્રીબ્યુશન એટલે કે PFને કવર કરવા માટે હશે. પીએફમાં 12 ટકા યોગદાન અને એમ્પલોયર દ્વારા કરવામાં આવેલા 12 ટકા યોગદાન એટલે કે 24 ટકા યોગદાન બરાબર સબ્સિડી સરકાર તરફથી આપવામાં આવશે.
આ યોજના હેઠળ સરકાર 1000 લોકોને રોજગાર આપવાવાળી કંપનીઓને એમ્પલોય અને એમ્પલોયર બંને તરફથી પીએફ આપશે.
નેટવર્કનું વધારવું પડશે સ્પેસ
ભારતીય મજૂર સંઘના પૂર્વ મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાયે કહ્યું કે, સામાજીક સુરક્ષા સંહિતાના અમલમાં આવવા પર ઇપીએફઓ સમક્ષ 2021માં નવી પડકાર સામે આવશે.