ચીનની બેઈજિંગ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં કોરોનાને લઈને એક મોટો ખુલાસો થયો છે.
ચીનની બેઈજિંગ યુનિવર્સિટીના રિસર્ચમાં મોટો ખુલાસો
10માંથી 4 લોકોમાં કોરોના સંક્રમણનું એક પણ લક્ષણ નહીં
પરિણામે લોકો ટેસ્ટ કરાવતા નથી
બેઈજિંગ યુનિવર્સિટીના સંશોધનમાં જણાવ્યા પ્રમાણે, 10માંથી 4 લોકોમાં કોરોના સંક્રમણનું એક પણ લક્ષણ જોવા મળતું નથી. લક્ષણો ન હોવાથી આવા લોકો ટેસ્ટ કરાવતા નથી પરિણામે વાયરસ મોટી હદ સુધી ફેલાઈ જાય છે. સંશોધકોએ કહ્યું કે આને કારણે તાપમાન માપવાનું મશીન પણ ગોથુ ખાઈ જાય છે.
દુનિયામાં કોરોના ઝડપે ગતિએ કેમ ફેલાયો
ચીની વૈજ્ઞાનિકોના મત પ્રમાણે,40 ટકા લોકોમાં કોરોનાનું એક પણ લક્ષણ જોવા મળતું નથી આને કારણે લોકો ટેસ્ટ કરાવતા નથી પરિણામે વાયરસ ગુપ્ત રીતે મોટા પ્રમાણમાં ફેલાઈ જતો હોય છે.
લોકોમાં કોરોનાના લક્ષણ ન હોવાનું કારણ
સામાન્ય રીતે કોરોના દર્દીઓમાં સૂકી ખાંસી, તાવ અને ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળે છે પરંતુ કેટલાક લોકો લક્ષણો વગર જ વાયરસનો શિકાર બને છે. તેના મુખ્યત્વે ચાર કારણો છે.
(1) લોકોની ઈમ્યુન સિસ્ટમ મજબૂત હોવી
(2) વધારે વેક્સિનેશન હોવું
(3) કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું
(4) વાયરસનું સતત સ્વરુપ બદલતા રહેવું
રિસર્ચમાં આ જાણકારી સામે આવી
-રિસર્ચમાં સામેલ લોકોમાંથી 11,516 અથવા 0.25 ટકા લોકો વાયરસથી સંક્રમિત હતા.
- કોરોના પોઝિટીવ દર્દીઓમાંથી 40.5 ટકા બીમારીનું કોઈ લક્ષણ નહોતું.
- સંક્રમિત લોકોમાંથી સૌથી વધારે 51.11 ટકા ગર્ભવતી મહિલા હતી.
- આ પછી વિમાન/ક્રૂઝ અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ દ્વારા મુસાફરી કરતા લોકો આવ્યા હતા.
- સૌથી ઓછા અથવા અસ્તિત્વમાં ન હોય તેવા લક્ષણો 60 વર્ષથી વધુ વયના લોકોમાં હતા.
- 20 વર્ષથી ઓછી વયના લોકોમાં ચેપનો દર વધુ હતો.
- સૌથી વિકસિત દેશોમાં કોરોનાના કોઈ લક્ષણો ન હોય એવા કેસ જોવા મળ્યા હતા.
- ઉત્તર અમેરિકા પ્રથમ, યુરોપ બીજા અને એશિયા ત્રીજા ક્રમે હતું.