મુંબઇ પાસેના વિરારમાં મુંબઇ-અમદાવાદ હાઇવે પર એક રોડ દુર્ઘટનામાં 4 મજૂરોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ 7 મજૂરો પગપાળા પોતાના ઘરે જઇ રહ્યા હતા.
મુંબઇ-અમદાવાદ હાઇવે પર એક રોડ દુર્ઘટનામાં 4 મજૂરોના મોત
ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે
ટેમ્પોમાં મેડિકલ સાથે જોડાયેલો સામાન ભર્યો હતો
વિરાર પાસે ભારોલ ગામમાં એક ફુલ સ્પીડમાં આવી રહેલી આયસર ટેમ્પોએ આ મજૂરોને કચડી નાંખ્યા. ત્યારે બતાવાઇ રહ્યું છે કે આ તમામ મજૂરોને પહેલા ગુજરાત બોર્ડર પાર કરતા રોકવામાં આવ્યા હતા અને પાછા મોકલી દેવાયા હતા. જોકે, તેમણે સવારે ફરી પગપાળા ચાલવાનું શરૂ કર્યું હતું.
પાલઘરના એસપી ગૌરવ સિંહ મુજબ ટેમ્પો ચાલકની ધરપકડ કરી લેવાઇ છે. તેમા મેડિકલ સાથે જોડાયેલો સામાન ભર્યો હતો.
જ્યારે આજે રાહુલ ગાંધીએ પણ પગપાળા ઘરે જઇ રહેલા ગરીબ મજૂરોને મદદ કરવા અપીલ કરી છે. તેઓએ કોંગ્રેસ નેતાઓને પગપાળા જઇ રહેલા મજૂરોને મદદ કરવા કહ્યું હતું. દેશમાં મહામારીને પગલે પીએમ મોદીએ બુધવારથી 21 દિવસ માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી.