ગોવા સરકારે આવતીકાલ એટલે કે 29 એપ્રિલથી રાજ્યમાં ચાર દિવસના ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.
ગોવામાં ચાર દિવસના ટોટલ લોકડાઉનની જાહેરાત
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કરી જાહેરાત
લોકડાઉનમાંથી જરુરી સેવાઓ અને ઉદ્યોગોને છૂટ
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને 29 એપ્રિલથી ચાર દિવસના લોકડાઉન લગાડવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉન ચાર દિવસનું રહેશે.
શ્રમિકો ચિંતા ન કરે, 4 દિવસનું જ લોકડાઉન-સીએમ પ્રમોદ સાવંત
પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું કે લોકડાઉનમાંથી જરુરી સેવાઓ અને ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે પરંતુ જાહેર પરિવહન સેવાને મંજૂરી નથી અપાઈ.
લોકડાઉન ગુરુવાર સાંજથી શરુ થઈને સોમવાર સવાર સુધી ચાલશે
લોકડાઉન ગુરુવાર સાંજથી શરુ થઈને સોમવાર સવાર સુધી ચાલશે. લોકડાઉન દરમિયાન વીકલી માર્કેટ પણ બંધ રહેશે. કેશિનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જોકે ઓદ્યોગિક સેવાઓને ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે.સાવંતે કહ્યું કે શ્રમિકોએ ચિંતા રાખવાની જરુર નથી કારણ કે લોકડાઉન સોમવાર સવારે તો ખુલી જશે અને ધંધા-રોજગાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે.
શું શું બંધ રહેશે
કેશિનો, હોટલ, પબ
- જાહેર પરિવન સેવા
- અઠવાડિયે ભરાતી માર્કેટ
મંગળવારે 3 લાખ 62 હજાર 787 નવા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડા બાદ ભારે વધારો જોવા મળ્યો છે. કેમ કે મંગળવારે 3 લાખ 62 હજાર 787 લોકોને કોરોના વાયરસ થયાનું સામે આવ્યું છે. જ્યારે 3285 લોકોના મોત થયા છે. મંગળવારે સવારે 3.23 લાખ મામલા આવ્યા હતા. પરંતુ રાતના 12 વાગ્યા સુધીમાં આંકડા વધીને 3.62 લાખને પાર થયા છે. આની પહેલા સોમવારે 3.52 લાખથી વધારે મામલા નોંધાયા હતા. જ્યારે 2800થી વધારે લોકોના મોત થયા હતા. આ અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે.
સાજા થનારાનો દર ઘટીને 82.54 ટકા થયો
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,88,637 થઈ ગઈ છે. જ્યારે રાષ્ટ્રીય સ્તર પર સાજા થનારાનો દર ઘટીને 82.54 ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર સંક્રમણથી 3285 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુ આંક 2,01, 165 થઈ ગયો છે. સારાવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા વધીને 29, 72, 106 થઈ ગઈ. જે કુલ સંક્રમિતોના 16.34 ટકા છે. ત્યારે રાષ્ટ્રીય સ્તર પર કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 82.54 ટકા થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યાનુસાર સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,48,07,704 થઈ છે.