પંજાબની કોંગ્રેસ સરકારે સરકારી નોકરીમાં મહિલાઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ મળશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પોતે ટ્વીટ કરીને કરી હતી.
મહિલાઓને લઇ પંજાબ સરકારનો નિર્ણય
પંજાબમાં મહિલાઓને 33% અનામતની જાહેરાત
પંજાબમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત
તેમણે કહ્યું કે, પંજાબની મહિલાઓ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. મંત્રી પરિષદે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણને મંજૂરી આપી છે. આ નિર્ણય બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયો છે.
પંજાબ સિવિલ સેવા નિયમ 2020ને આપી મંજૂરી
આ સાથે જ રાજ્ય સરકારે પંજાબ સિવિલ સેવા નિયમ 2020ને મંજૂરી પણ આપી છે. જેથી જગ્યાઓ માટે સીધી ભરતી માટે મહિલાઓને આરક્ષણનો લાભ આપવામાં આવી શકાય.
Today is a historic day for the women of Punjab as our Council of Ministers has approved 33% reservation for women in Government jobs. I am sure this will go a long way in further empowering our daughters and help in creating a more equitable society.
સમયબદ્ધ રીતે કોર્ટના કેસો / કાયદાકીય કેસોને અસરકારક રીતે આગળ ધપાવવા માટે, પંજાબ કેબિનેટે સિવિલ સચિવાલય નિયમ, 1976માં સંશોધન કરીને ક્લાર્ક કેડરના ગઠન માટે સફળતાપૂર્વક ભરતીની પણ મંજૂરી આપી છે.
1 લાખ નોકરી આપવાનો વાયદો પણ કર્યો
આ સિવાય કેબિનેટે સ્ટેટ રોજગાર યોજના 2020-22ને પણ મંજૂરી આપી છે. જેના હેઠળ વર્ષ 2022 સુધીમાં પ્રદેશના એક લાખથી વધુ યુવાઓને રોજગાર આપવાનું કામ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત સરકારી વિભાગોમાં ખાલી પડેલ પદો પર ઝડપથી નિયુક્તિ કરવામાં આવશે. આ સાથે જ 1 લાખ નોકરી આપવાનો વાયદો પણ કર્યો છે.