કોરોના વાયરસના કારણે માર્ચથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે સરકારે સામાન્ય લોકોને ટેક્સ અને પોસ્ટ ઓફિસની સ્કીમમાં સુવિધા આપી છે. જેનાથી લોકોને થોડી રાહત મળશે. 31 જુલાઈએ ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી અનેક ચીજોની ડેડલાઈન બદલાઈ રહી છે. તો જાણો 31 જુલાઈ 2020 એટલે કે આવતીકાલે કઈ બાબતોની ડેડલાઈન છે.
સેવિંગ્સ સાથે જોડાયેલી 8 બાબતોમાં બદલાવ
31 જુલાઈ 2020 છે છેલ્લી તારીખ
સેવિંગ્સને લઈને આવશે આ ફેરફાર
EPFમાં વધશે ભાગ, સેલેરી થશે ઓછી
કંપનીઓ અને કર્મચારીઓને રાહત આપવા માટે સરકારે ઈપીએફમાં 3 મહિનાને માટે 2 ટકા વ્યાજ તેમની તરફથી આપવાની જાહેરાત કરી છે. તેનાથી કર્મચારીઓને 12 ટકાને બદલે 10 ટકા બેઝિક સેલેરીની રકમ ઈપીએફના ખાતામાં જમા થશે. જ્યારે 31 જુલાઈ બાદ ઈપીએફમાં પહેલાની જેમ 12 ટકા કપાશે. તેનાથી કર્મચારીઓની સેલેરી ઘટશે.
Self Assessment Tax
જો નાણાંકીય વર્ષ 2018-19ને માટે સેલ્ફ એસેસમેન્ટ 1 લાખ રૂપિયાથી વધારે છે તો તેનું નુકસાન ભરવા માટેની તારીખ 31 જુલાઈ છે. જો તમે આ કામ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. સીબીડીટી દ્વારા 24 જૂને આદેશ અપાયો હતો અને આ તારીખ નક્કી કરવામાં આવી હતી. તેમાં હજુ સુધી કોઈ ચેન્જ આવ્યો ન હોવાથી આવતીકાલે છેલ્લી તારીખ છે.
નાની બચત યોજનાઓ માટેનો સમય વધશે
સરકારે અનેક નાની બચત યોજનાઓના નિયમોમાં રાહત આપી છે. આ યોજનાઓ 31 જુલાઈએ સમાપ્ત થશે. નાની યોજનામાં રોકાણકારો માટે કેટલાક નિયમોમાં છૂટ આપવામાં આવી હતી. પોસ્ટ ઓફિસની RDની તારીખ 31 જુલાઈ સુધીની છે.
નાણાંકીય વર્ષ માટે ટેક્સ બચત યોજનાની છેલ્લી તારીખ
જો તમે નાણાંકીય વર્ષ 2018-19ને માટે ટેક્સ બચાવવા માટે રોકાણ પૂરું કર્યું નથી તો તમારી પાસે આવું કરવા માટે 31 જુલાઈ 2020 સુધીનો સમય છે. ટેક્સ બચાવવા માટે રોકાણની સીમાને 31 માર્ચ 2020થી 31 જુલાઈ સુધી વધારવામાં આવી હતી. હવે તમે આ ડેડલાઈન ચૂકી જશો તો તમારી ટેક્સ લાયેબિલિટી ઓછી કરી શકશો નહીં.
આઇટી રિટર્ન ફાઇલ કરવાનો સમયગાળો 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયો
કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2018-19 માટે ટેક્સ ભરવાની તારીખને પહેલાં પણ આગળ વધારી હતી અને તેને માટે 31 જુલાઈ સુધીનો સમય કર્યો હતો. હવે ફરીથી ડેડલાઈનમાં વધારો કર્યો છે અને નવી તારીખ 30 સપ્ટેમ્બર જાહેર કરી છે. કોરોનાના સમયમાં આ બીજી વખત ડેડલાઈનમાં વધારો કરાયો છે. આયકર વિભાગે કહ્યું છે કે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને બાધાઓ અને કરદાતાઓને માટે સરળતા માટે સીબીડીટીએ વર્ષ 2018-19ને માટે ટેક્સ ભરવાની તારીખ 31 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના અને પ્રોવિડન્ટ ફંડનો નિયમ
આ યોજના સંબંધિત 25 માર્ત અને 30 જૂનની વત્તે 10 વર્શની ઉંમરની બાળકી છે તો લોકડાઉનની સમય મર્યાદા 31 જુલાઈ સુધી ખાતુ ખોલવા માટે રખાઈ હતી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સિનિયર સિટિઝન બચત યોજનાના ખાતાધારક પોતાના ખાતાનો વિસ્તાર કરવા અને લોકડાઉનનો સમય સમાપ્ત થતાં એક્ટે્શનની તારીખ માટે મેલ કરી શકે છે.
TDS ભરવાની છેલ્લી તારીખ
24 જૂન 2020એ જાહેર કરાયેલા નિયમ અનુસાર સરકારે કહ્યું હતું કે TDS અને TCS statementની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020 રહેશે. આ અનુસાર ટેક્સ પેયર્સે પોતાનું સ્ટેટમેન્ટ ભરવાનું રહેશે, આ માટેનું પ્રમાણપત્ર જાહેર કરવાની તારીખ 31 જુલાઈ અને 15 ઓગસ્ટ રહેશે.
ITR ભરવાની છેલ્લી તારીખ
ઉલ્લેખનીય છે કે આ ત્રીજી વખત છે જ્યારે સીબીડીટીએ આયકર રિટર્નની તારીખ વધારી છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે 31 માર્ચ સુધી ITR ભરવાનું હતું. આ પહેલાં 30 જૂન સુધી તેને વધારાયું હતું પછી 31 જુલાઈ અને હવે ત્રીજી વખત તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયું છે.