વરસાદને કારણે ત્રણ વ્યકિતઓના સત્તાવાર મૃત જાહેર સમાણા ગામ નજીક કાર તણાઈ જતા દંપતિનું મૃત્યુ થયું છે જ્યારે જોડિયામાં ત્રણ વર્ષના બાળકનું પણ મોત, જામનગર શહેર સહિત જિલ્લામાંથી 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું
જામનગરમાં 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું
કારમાં દંપતિ તણાઈ જતા મોત, જોડિયામાં ત્રણ વર્ષના બાળકનું મોત
રોડ રસ્તા તૂટવાથી 32 થી વધુ ગામોનો સંપર્ક વિહોણા
જામનગરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે વરસાદને કારણે ત્રણ વ્યકિતઓના સત્તાવાર મૃત જાહેર કરાયા છે. સમાણા ગામ નજીક કાર તણાઈ જતા દંપતિનું મૃત્યુ થયું છે જ્યારે જોડિયામાં ત્રણ વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું છે. આ તરફ જામનગરમાં ધ્રોલના વોકળામાં ડૂબી જતા યુવકનું મોત નિપજ્યું છે, આમ કુલ અતિવૃષ્ટિને કારણે મોતનો આંક ચાર પર પહોંચ્યો છે. ભારે વરસાદેને કારણે અનેક પશુઓના પણ મોત નિપજ્યા છે. તો વીજ પોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ફરી વીજ પુરવઠો શરૂ થતા અંદાજીત 12 કલાકનો સમય લાગી શકે છે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
રોડ રસ્તા તૂટવાથી 32 થી વધુ ગામોનો સંપર્ક વિહોણા
જામનગરના આલિયા બાડા ગામમાં 20 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાતા ગામને જોડતા પુલ પણ તૂટી ગયો હતો જેથી આલિયા ગામ સહિત અનેક ગામો સંપર્ક વિહોણું બન્યું છે. જામનગર શહેર સહિત જિલ્લામાંથી 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે રોડ રસ્તા તૂટવાથી 32 થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. હાલ NDRF 2 ટીમ અને SDRFની બે ટીમ રેસ્ક્યુ માટે તૈનાત કરાઇ છે.
કપાસ અને મગફળીના પાક ધોવાઇ ગયા
આ તરફ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો જેવા કે માળિયા, ગડુમાં આશરે 6.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે શાંતિપરા ગામની શેરીઓમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. જામનગર અને રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે 700 એકર ખેતીના પાકનું ધોવાણ થયું છે. તેમજ ખેતરો રહેલો કપાસ અને મગફળીના પાક ધોવાઇ ગયા છે.હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આજે વરસાદને લઇ ઓરેન્જ અલર્ટ આપ્યું છે. જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર જામનગરમાં ઓરેન્જ એલર્ટ છે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગામો બેટમાં ફેરવાયા
પોરબંદરના ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગામો બેટમાં ફેરવાયા છે તો ભાદર, મોજ અને મધુવંતી ડેમના પાણી ઘેડ પંથકના કાંસાબડ, મહિયારી, કડછ, કડેગી, છત્રાવા, ભોગસર, ગરેજ ગામમાં ઘૂસ્યા છે ગતરાતથી પાણી છોડાતા ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે.ગઇકાલના વરસાદ બાદ પાણી છોડાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો વળી ભારે વરસાદને કારણે મગફળી, કપાસના પાકને વ્યાપક નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે.
ઉમરગામમાં કારમાં સવાર 3 લોકો તણાયા
વલસાડમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. ઉમરગામમાં કારમાં સવાર 3 લોકો તણાયા જોકે સ્થાનિક લોકોએ કારમાં સવાર 3 લોકોને બચાવ્યા છે. સંજાણ નજીક ટિંભી ગામની વારોલી ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ હોવા છતાં કારચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કરતા કાર તણાઇ જોકે સ્થાનિકો દ્વારા તમામને બચાવી લેવાયા હતા જ્યારે કારને પણ ક્રેનથી બહાર કાઢવામાં આવી છે.