દૂર્ઘટના / સુરતમાં બેકાબૂ આગને કારણે અંદાજીત 300 કરોડથી વધુનું નુકસાન

સુરતના રઘુવીર માર્કેટ આગના મામલે 12 કલાક બાદ પણ આગ નિયંત્રણમાં આવી શકી નથી. આગ સમગ્ર બિલ્ડીંગમાં પ્રસરી છે. અત્યાર સુધી 3 કરોડ લીટર પાણીની મારો કરવામાં આવ્યો છે. અંદાજીત 300 કરોડ કરતા પણ વધુનું નુકસાન થયું છે. બિલ્ડીંગનું સ્ક્રક્ચર ખખડધજ છે. આ બિલ્ડીંગને તોડવા માટે સ્ટેબિલિટી રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે. 20થી વધુ ફાયર સ્ટેશનની ટીમ કામે લાગી છે. તેમજ આ સાથે NDRFની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ કપરા સમયે બ્રોકર એસોશિએશને જે વેપારીની દુકાન સળગી ગઇ છે, તેમને વિનામૂલ્યે દુકાન ફાળવવાની ખાતરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ