એક જ બાઈક પર 5 લોકો જઈ રહ્યાં હતા. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર 5 પૈકી 3ના મોત નિપજ્યા
અમરેલી જિલ્લામાં અકસ્માતમાં 3 લોકોના મોત
લાઠીના શાખપુર નજીક અકસ્માતમાં 3 લોકોના મોત
એક બાઇક પર 5 લોકો જઇ રહ્યાં હતા
અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. લાઠીના શાખપુર નજીક આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. એક જ બાઈક પર 5 લોકો જઈ રહ્યાં હતા. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર 5 પૈકી 3ના મોત નિપજ્યા હતા. તો 2 લોકોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી છે.
તો આ તરફ અરવલ્લી ખાતે કારમાં આગની ઘટનામાં એક ડૉક્ટર અને તેમના પત્નીનું સળગી જવાથી મોત નિપજ્યું છે. બાયડ-દહેગામ રોડ પર આ દુઃખદ ઘટના સર્જાઈ છે. લિહોડા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં ભયંકર આગના કારણે સવાર પતિ-પત્નીનું નિધન થયું છે. મૃતક બાયડની વાત્સ્યલ્ય હોસ્પિટલમાં કાર્યરત ડૉ.મયુર શાહ હતા.