મુંબઈમાં ઈન્ડીયન નેવીના જહાજ INS રણવીરમાં જોરદાર બ્લાસ્ટ થતા 3 જવાન શહીદ થયા છે તથા 11 ઘાયલ થયા છે.
ઈન્ડીયન નેવીના જહાજ INS રણવીરમાં થયો જોરદાર બ્લાસ્ટ
3 જવાન થયા શહીદ
11 જવાન ઘાયલ
મુંબઈમાં ઈન્ડીયન નેવીના જહાજ INS રણવીરમાં એક કરુણ ઘટના બની છે. INS રણવીરના અંદરના ભાગમાં અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો જેમાં નેવીના 3 જવાનો શહીદ થયા હતા તથા બીજા કેટલાક જવાનો ઘાયલ થયા હતા.આ ઘટનામાં 11 જવાન ઘાયલ થયાની પણ ખબર છે. INS રણવીર જ્યારે એક ઓપરેશન પાર પાડીને તેના મૂળ ઠેકાણે પરત આવી રહ્યું હતું ત્યારે વચ્ચે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. સદનસીબે ચાલક દળના સભ્યોએ ચપળતાથી પરિસ્થિતિને કાબૂમાં લાવી દીધી હતી. નેવીએ આ ઘટનાનો ઉચ્ચ સ્તરીય આદેશ આપી દીધો છે. વિસ્ફોટનું કારણ જાણવા મળી શક્યું નથી, તે તો તપાસ બાદ બહાર આવશે.
In an unfortunate incident today at Naval Dockyard Mumbai, 3 naval personnel lost their lives in an explosion in an internal compartment onboard INS Ranvir. Responding immediately, the ship's crew brought the situation under control. There is no major material damage. pic.twitter.com/c9wJUieCCj
ઘટના બાદ તાકીદના ધોરણે રાહત બચાવ અભિયાન શરુ કરી દેવાયું હતું. જહાજના ચાલક દળના સભ્યોએ તરત સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે જહાજને કોઈ નુકશાન પહોંચ્યું નથી પરંતુ કરુણ વાત એ છે કે નેવીના 3 જવાન શહીદ થયા છે.
ઓપરેશન પાર પાડીને પરત આવતા બની દુર્ઘટના
નેવીની પૂર્વ કમાનમાં INS રણવીર નવેમ્બર 2021થી દરિયા કિનારાના વિસ્તારમાં ઓપરેશન પાર પાડી રહ્યું છે અને થોડી વારમાં તો પાછું આવવાનું હતું બરાબર આ સમયે તેમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં બોર્ડ ઓફ ઈન્કવાયરીનો ઓર્ડર આપી દેવાયો છે.
Mumbai: 3 Naval personnel die in explosion onboard INS Ranvir, probe ordered
2016માં નેવીના વિક્રમાદિત્યમાં મોટી દુર્ઘટના થઈ હતી
આ પહેલા 2016માં પણ નેવીના એરક્રાફ્ટ કેરિયર વિક્રમાદિત્યમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં બે સોલ્જર શહીદ થયા હતા. ગોવાની પાસે કારવાર નેવી બેસ પર વિક્રમાદિત્યના રીફિટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.
શું છે INS રણવીર
INS રણવીર એક યુદ્ધજહાજ છે અને ભારતીય નૌકાદળના રાજપૂત વર્ગના 5 ઘાતક જહાજમાંનું એક છે. ઓક્ટોબર 1986માં તેને ઈન્ડીયન નેવીમાં સામેલ કરાયું હતું.