જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ દરમિયાન સેનાએ ત્રણ આતંકી ઠાર કર્યા છે. જો કે હજુ સુધી ત્રણેય આતંકીઓના મૃતદેહ મળ્યાં નથી. એક મળતાં અહેવાલ મુજબ સેનાએ હિઝબુલના આતંકી જહૂર ઠોકરને પણ ઠાર કરી દીધો છે. જો કે હાલમાં પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે પુલવામાના જિલ્લા ખારપુરામાં સેનાને આતંકી છુપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જેના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન આતંકીઓ દ્વારા સેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે સેનાએ વળતો જવાબ આપતાં ફાયરિંગ કર્યું. સેનાએ કરેલા ફાયરિંમાં હિઝબુલના કમાન્ડર જહૂર સહિત ત્રણ આતંકી ઠાર મરાયાં છે.
જહૂર ઠોકર 173 ટેરીટોરિયલ આર્મીનો સભ્ય હતો અને 2016માં સર્વિસ પિસ્તોલની સાથે ભાગી ગયેલો આતંકી બની ગયો હતો. જો કે હજી સેનાને ત્રણ આતંકીઓના મૃતદેહ મળ્યા નથી.
સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે ઘાટીમાં સેના ના જવા સતત આતંકી વિરુધ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યાં છે.
ગત અઠવાડીયા સોપારમાં સેનાએ બે આતંકી ઠાર કર્યા હતા. આ વર્ષે કાશ્મીરમાં અંદાજે 235 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે સ્થાનીક છે.