ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ ર્ડાક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ, જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગઈકાલે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે, જ્યાં શહેરીજનો બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. અમદાવાદમાં 1 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ર્ડાક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દીકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ર્ડાક્ટર અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો. વેરાવળ સીટી પોલીસે અતુલ ચગ આપઘાત મામલે અકસ્માતે મોત નં. 04/23 સી.આર.પી.સી. કલમ 174 તા. 12.02.2023 ના રોજ ફરિયાદ નોંધી હતી. ત્યારે ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે તા. 17.02.2023 નાં રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. જે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન અરજી નં.-બી 43/ 2023 તા. 17.02.2023 થી નોંધાયેલ છે.
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે.સુરતના લીંબાયતમાં ઘરમાં ત્રણ મહિનાની બાળકીને પિતા રમાડતી વખતે ઉછાળી રહ્યા હતા. ત્યારે બાળકીને માથામાં પંખાની પાંખ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી.જેને લઇ બાળકીને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં માં સારવાર માટે લઇ જવાઇ આખરે સારવાર દરમ્યાન બાળાનું મોત નીપજ્યું હતું. બાળકીને રમાડવાનો હરખનો માહોલ પરિવાર માટે માતમમાં છવાય ગયો હતો.ત્યારે ઘટનાને પગલે લિંબાયત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સુરતના લિંબાયત વિસ્તારના ખાનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતા મસરુદીન શાહ મજૂરી કામ કરી ત્રણ પુત્રી, એક પુત્ર તેમજ પત્નીનું ભરણપોષણ કરે છે.શ્રમજીવી મસરુદીનને ત્રણ મહિના પહેલા જ ઝોયા નામની ત્રીજી દીકરીનો જ્ન્મ થયો હતો. તેઓ 13 મી મેના રોજ સવારે માસૂમ પુત્રી જોયાને ૨માડી રહ્યા હતા. દરમિયાન તેણીને અધર ઉછળતા ચાલુ પંખાની પાંખ પુત્રી ઝોયાને માથામાં વાગી જતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી.ઘટનાને પગલે ત્રણ માસની ઝોયાને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી પરિવાર દ્વારા તાત્કાલિ ઝોયાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યા યોગ્ય સારવાર ન મળતી હોવાનું લાગતા ત્યાથી ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી.અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી.
ગીર સોમનાથમાંથી મહાઠગ ટોળકી ઝડપાઈ છે, રૂપિયાની જરૂરિયાત વાળા લોકોને તાંત્રિક વિધિના નામે 93 લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ હાવાનું જાણવા મળ્યું છે, પોલીસે 19 લાખ રૂપિયા, 66 તોલા સોનું સહિત અન્ય મુદ્દામાલ સાથે 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગીર સોમનાથ જિલ્લામાં તાંત્રિક ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરતી હોવાનો એલસીબીએ પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેનાર નકલી ખોપડી, સાપ, મોબાઈલ જેવી વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ તાંત્રિક ટોળકીએ અત્યાર સુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી સોના અને રોકડ સહિત એકાદ કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજકોટના પૂજારી સમક્ષ 500 કરોડનો ઢગલો કરી દેવાની માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ તાલાલા પોલીસમાં નોંધાઈ છે.
મહેસાણામાં જાતિવાદી માનસિકતાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જે મામલે ભટારિયામાં 120 દલિત પરિવારે હોબાળો કર્યો છે. માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત પરિવારનું રસોડું અને જમણવાર અલગ રાખવાનો નિર્ણય કરાયો હતો જે મામલે દલિત પરિવારે બેનર લગાવી જાતિવાદી માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો છે. દલિત પરિવારોના આ વિરોધને કારણે સમગ્ર મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લઈ નિવેદન નોંધ્યા હતા. જોટાણા તાલુકાના ભટારીયા ગામના નવનિર્મિત મંદિરમાં છેલ્લા બે દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો હતો. પરંતુ આ મહોત્સવમાં ગામના દલિત પરિવારોએ ગ્રામ પંચાયત આગળ દર્શાવેલ બેનરને કારણે ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગામના લોકોનો જમણવારનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક માત્ર દલિત પરિવારના લોકોને અલગ જગ્યાએ જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. વધુમાં જણાવ્યાનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
અમદાવાદ શહેરના રસ્તાઓ પર જો કોઈ વાહન સૌથી વધુ જોવા મળતું હોય તો તે રિક્ષા છે. પરિવહનના સૌથી લોકપ્રિય સાધન રિક્ષાનો ઉપયોગ ઘણા લોકો રોજગાર મેળવવા માટે કરતા હોય છે, પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે જે રિક્ષાનો ઉપયોગ ગુનાખોરી માટે કરે છે. રિક્ષામાં પેસેન્જરોને લૂંટવાના હજારો કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે તેના પર ફૂલસ્ટોપ વાગી જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. રિક્ષામાં થતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ ‘નિર્ભયા પ્રોજેક્ટ’ અંતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે. શહેરમાં 40 હજારથી વધુ રિક્ષાચાલકોએ બારકોડ લગાવવા માટેના તમામ ડોક્યુમેન્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે. જ્યારે કોઇ પણ પેસેન્જર રિક્ષામાં બેસે તે પહેલાં તેણે બારકોડ પોતાના મોબાઇલમાં સ્કેન કરવાનો રહેશે. જેથી ચાલકની તમામ માહિતી ફોનમાં આવી જશે. આ સિસ્ટમ લાગુ પડતાંની સાથે રિક્ષામાં થતી ચોરી, લૂંટ, છેડતી જેવા અનેક કિસ્સા આપોઆપ બંધ થઇ જશે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યું છે. જેને લઈ હવે 40 જજની જૂની પોઝિશન યથાવત રહેશે. મહત્વનું છે કે, આ અગાઉ સુપ્રીમ કોર્ટે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે 12 મે ના રોજ ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા હતા. જસ્ટિસ એમ.આર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો હતો. ન્યાયિક અધિકારીઓની બઢતી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિણામલક્ષી નોટિફિકેશનને બેન્ચે સ્ટે આપ્યો હતો.
Ipl 2023 ની સીઝનમાં દરરોજ અલગ અલગ ટીમો વચ્ચે બળાબળના પારખા થઈ રહ્યા છે. જેમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાંગુજરાત ટાઇટન્સે 34 રને જબરદસ્ત જીત હાંસલ કરી હતી. આઇપીએલ 2023ના 62 માં આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરી 9 વિકેટ તે 188 રનનો જબબરો સ્કોર બનાવ્યો હતો. જે 189 રનના ટાર્ગેટને પાર કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સસ્તામાં આઇટ થઈ ગઈ હતી. સાથે જ ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.
કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત હાંસલ કરી લીધા બાદ હવે મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ કોંગ્રેસનું કોકડું ગુંચવાયું છે. આ મડાગાંઠ ઉકેલવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહી છે અને જનતાએ જેમને સ્પષ્ટ જેના દેશ આપ્યોI છે તેવા કોંગ્રેસમાં હવે મુખ્યમંત્રી પદને લઇ બે ચહેરાઓ વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના સીએમની ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે તાણખેંચને લઈને કોંગ્રેસનું હાઇકમાન્ડ મુંજાયું છે. રાજસ્થાનવાળી થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે કારણ કે ખડગેના આવાસ પર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. એક બાજુ સિદ્ધારમૈયા વરિષ્ઠ નેતા છે તો ડીકે શિવકુમાર પોતાના કાર્યક્ષેત્રના સફળ સાબિત થઈ રહ્યા છે.
#WATCH |Delhi:..."Let's wait and see...I don't know...": Former Karnataka CM & Congress leader Siddaramaiah on being asked about how will the new Karnataka govt look like and when will the CM announcement happen pic.twitter.com/ET24o4PuIx
મે મહિનામાં કેન્દ્રની મોદી સરકારને રાહત આપતી 3 મોટી ભેટ મળી છે. દેશમાં મોંઘવારીનો (છૂટક ફુગાવો) ગ્રાફ નીચે તરફ આવતો નજરે પડે છે. મોંઘવારીનાં મોરચે સરકારને મોટી રાહત મળી છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023-24નાં પહેલા મહિનામાં GSTમાં સરકારે જોરદાર કમાણી કરી છે. આમ આ 3 રાહતનાં સમાચાર સરકારને મળ્યાં છે.છેલ્લાં 6 વર્ષોમાં પહેલીવાર એપ્રિલ 2023માં સૌથી વધારે GSTનું કલેક્શન થયું છે. એપ્રિલમાં GSTની કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ 2022માં આ આંકડો 1.68 લાખ કરોડ રૂપિયા હતો. દેશમાં એપ્રિલ મહિનામાં મોંઘવારીનાં મોરચાનાં મામલે સામાન્ય જનતાને રાહત મળી છે. છૂટક ફુગાવો ઘટીને 18 મહિનાનાં સૌથી નીચેનાં સ્તર પર આવ્યો છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 4.7% હતો. ખાદ્ય પદાર્થોની કિંમતમાં ઘટાડો થવાને લીધે છૂટક ફુગાવાનાં દરમાં ઘટાડો નોંધાયો છે. આ સતત બીજો એવો મહિનો છે કે જેમાં CPI આધારિત મોંઘવારી દર, રિઝર્વ બેંકનાં નક્કી કરેલા લક્ષ્યાંક 6% થી નીચે આવી રહ્યો છે. ખાદ્ય પદાર્થની કિંમતોમાં થઈ રહેલાં ઘટાડાનો અર્થ છે કે ખાવા-પીવાની વસ્તુઓ એપ્રિલ મહિનામાં સસ્તી થઈ છે.
— Prabhudas Lilladher (@PLIndiaOnline) May 15, 2023
દેશમાં 2024ની લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષનાં નેતાઓ એન્ટી-મોદી પ્લાન તૈયાર કરી રહ્યાં છે ત્યારે મમતા બેનર્જી એકાએક કોંગ્રેસની તરફેણમાં આવી છે.કર્ણાટકમાં જીત મેળવ્યાં બાદ હવે મમતા બેનર્જી કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે TMC એ રાજ્યોમાં કોંગ્રેસનું સમર્થન કરવા તૈયાર છે જ્યાં તે મજબૂત છે. આ સિવાય મમતા બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસે બંગાળ જેવા રાજ્યોમાં TMCની મદદ કરવી પડશે.TMC પ્રમુખ મમતા બેનર્જી 2024ની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ચૂંટણીનાં ફોર્મ્યુલા તૈયાર કરવા માટે તે તમામ વિપક્ષી દળો સાથે વાતચીત પણ કરી રહી છે. રાજ્ય સચિવાલય નબન્નામાં એક પ્રેસ કોન્ફેરેન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે,' હું કોઈ જાદુગર નથી કે નથી કોઈ જ્યોતિષી. હું ન કહી શકુ કે ભવિષ્યમાં શું થશે. પરંતુ હું તમને એક વાત જણાવી શકું છું કે જ્યાં ક્ષેત્રીય પાર્ટી મજબૂત છે ત્યાં ભાજપ નથી લડી શકતી અને જ્યાં લોકો ઉદાસ છે ત્યાં પણ નથી લડી શકતી. કર્ણાટકમાં નાખવામાં આવેલા વોટ ભાજપ સરકારની વિરુદ્ધમાં જનાદેશ છે.'
દેશમાં જેનરિક દવાઓનાં ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર કડકાઈ દાખવી રહી છે. સરકારે સોમવારે આદેશ આપ્યો છે કે તમામ ડોક્ટર્સે જેનરિક દવાઓ લખવાની રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જો ડોક્ટર પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનરિક દવાઓ નહીં લખે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.સ્વાસ્થ્ય સેવા ડાયરેક્ટર જનરલે આદેશ આપતાં ચેતવણી આપી હતી કે જે કોઈપણ ડોક્ટર પોતાનાં પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક દવાઓને શામેલ નહીં કરે તેમની સામે એક્શન લેવામાં આવી શકે છે. આદેશમાં કહેવાયું છે કે કેટલાક ડોક્ટરોની તરફથી બ્રાંડેડ દવાઓ લખવામાં આવી રહી છે જે યોગ્ય નથી.