Amritsar Blast News: પંજાબના અમૃતસર સ્થિત હેરિટેજ સ્ટ્રીટમાં આજે ફરી એક બ્લાસ્ટ, વિસ્ફોટક (બોમ્બ) હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હોવાની ચર્ચા
પંજાબના અમૃતસર સ્થિત હેરિટેજ સ્ટ્રીટમાં આજે ફરી એક બ્લાસ્ટ
હેરિટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈ પાસે વહેલી સવારે બ્લાસ્ટ
શનિવારે રાત્રે સુવર્ણ મંદિર નજીકની રેસ્ટોરન્ટમાં ચીમનીમાં થયો હતો બ્લાસ્ટ
પંજાબના અમૃતસર સ્થિત હેરિટેજ સ્ટ્રીટમાં આજે ફરી એક બ્લાસ્ટ થયો છે. વિગતો મુજબ વિસ્ફોટ આજે સવારે 6:30 વાગ્યે હેરિટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈ પાસે થયો હતો. આ પહેલા શનિવારે રાત્રે અમૃતસરના સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટમાં ચીમનીમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસને શંકા છે કે, શનિવારના બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોમવારના બ્લાસ્ટમાં કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટક (બોમ્બ) હેરિટેજ પાર્કિંગમાં લટકાવવામાં આવ્યો હતો અને ત્યાં બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને લોકોએ તેના પછી ધુમાડો નીકળતો જોયો. અમૃતસરના એડીસીપી મહેતાબ સિંહે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે થયેલા વિસ્ફોટના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, અમે તપાસ કરી રહ્યા છીએ. અહીં સ્થિતિ સામાન્ય છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમો અહીં પહોંચી ગઈ છે. એક વ્યક્તિને પગમાં નાની-મોટી ઈજાઓ છે.
Punjab | We are verifying. The situation is normal here. Anti-sabotage, Bomb Squad, and FSL teams are here. One person has received a minor injury in the leg: Mehtab Singh, ADCP, Amritsar on reports of a blast near Golden Temple in Amritsar pic.twitter.com/KOljUw0r6T
શનિવારે સાંજે પણ થયો હતો બ્લાસ્ટ
આ પહેલા પણ પંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં ચીમનીના કારણે વિસ્ફોટ થયો હતો, જેના પછી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર 1 કિમી દૂર છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે, ભક્તો પર કાંકરા પડ્યા અને કેટલાક ઘરોની બારીઓ પણ તૂટી ગઈ.
શું કહે છે પોલીસ સૂત્રો ?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે થયેલા બ્લાસ્ટમાં વિસ્ફોટક મેટલ કેસમાં રાખવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી ધાતુના ઘણા ટુકડાઓ મળી આવ્યા છે. એવી શંકા છે કે , ચીમનીમાં પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ કરીને આઈઈડી દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તે રેસ્ટોરન્ટની ચીમનીના વિસ્ફોટને કારણે થયેલો વિસ્ફોટ હતો. એટલું જ નહીં સમગ્ર વિસ્તારને સીલ પણ કરવામાં આવ્યો ન હતો અને વિસ્તારને આવરી લીધા પછી માર્કિંગ પણ કરવામાં આવ્યું ન હતું. ફોરેન્સિક ટીમને બ્લાસ્ટમાં વપરાયેલ કેમિકલના સેમ્પલ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે બ્લાસ્ટના સ્થળે પોલીસકર્મીઓ તેમજ સામાન્ય લોકોના પગરખાના નિશાન હતા.