કચ્છમાં ફરી એક વાર ભુકંપનો આંચકો અનુભવાયો. રિકટેર સ્કેલ પર 2.8 ની તીવ્રતા.રાપરથી 17 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. ત્યારે દિલ્હી-NCRમાં ભૂકંપના વારંવાર ઝટકા અનુભવાઈ રહ્યા છે.
કચ્છમાં ફરી એક વાર ભુકંપનો આંચકો અનુભવાયો છે. જેની રિકટેર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધાઇ છે. રાપરથી 17 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોધાયું છે
ભૂકંપ જેવી કુદરતી આપદાનો કોઈ અંદાજો આવી શકતો નથી. ત્યારે આ વર્ષે ભારતમાં નાના નાના 11 ભૂકંપ આવ્યા છે. પરંતુ કોઈ જાનમાલને હજુ કોઈ નુકસાન થયું નથી. નિષ્ણાંતોનું માનવુ છે કે, દિલ્હી-NCRમાં ભૂકંપના વારંવાર ઝટકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
સિસ્મોલોજી વિભાગની સાંત્વના
ગુજરાતમાં આવેલા ભૂકંપને લઈને લોકોને ન ગભરાવવાની અપીલ કરાઈ છે..સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર સુમેર ચોપડાએ VTV સાથેની વાતચીતમાં લોકોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભૂકંપથી ડરશો નહીં, 5-6 વર્ષે ભૂકંપ આવે છે. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય છે. હવેના આફ્ટર શોક સાવ સામાન્ય. લોકોએ ગભરાવાની જરૂર નહીં.