ઉત્તર પ્રદેશના ઔરૈય જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોથી ભરેલી ડીસીએમને ટ્રકે ટક્કર મારતાં 23 શ્રમિકોનાં મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં અન્ય 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની સૈફઇ પીજીઆઇમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.
ઉત્તરપ્રદેશના ઓરૈયા પાસે અકસ્માત
ટ્રકની ટક્કરમાં 23 શ્રમિકોના મોત
દિલ્લીથી ગોરખપુર પરત ફરતા હતા શ્રમિકો
દૂર્ઘટનાની જાણ થતાં જિલ્લા તંત્ર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પ્રારંભિક રિપોર્ટ અનુસાર શ્રમિકોને લઇને આવી રહેલી ડીસીએમને ટ્રકે ટક્કર મારતાં 23 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા છે. બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
એક મળતી વિગત અનુસાર ડીસીએમ રોડ પર સાઇડમાં ઉભી હતી ત્યારે ટ્રકે તેને ટક્કર મારી છે. ઔરેયાના એસપી સુનીતિ સિંહ અને અન્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે હાલ હાજર છે. પોલીસ દ્વારા રાહત અને બચાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
21 labourers dead and several injured after the truck they were travelling in, collided with another truck in Auraiya. The injured have been shifted to hospital. They were coming from Rajasthan. pic.twitter.com/8l0QcH93Su