વડોદરામાં માત્ર 22 દિવસના બાળકે કોરોનાને મ્હાત આપી છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાંથી બાળકે કોરોનાને હરાવ્યો છે. બાળકની માતાને કોરોના થતાં બાળક સંક્રમિત થયું હતું.
વડોદરામાં 22 દિવસના બાળકએ કોરોનાને આપી મ્હાત
ગોત્રી કોવીડ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમા દાખલ હતું બાળક
અત્યારસુધી 74 બાળકોને થયો કોરોના
ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં બાળક દાખલ હતું. જોકે બાળક સારવાર બાદ હવે કોરોના નેગેટિવ આવતા ઘરે પરત ફર્યો છે. આ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા અત્યાર સુધીમાં 74 કોરોનાગ્રસ્ત બાળકોની સારવાર કરવામાં આવી છે. જેમાંથી 21 બાળકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે એક બાળકીનું મોત અને અન્ય બાળકો હોમ આઇસોલેશનમાં છે.
આ અંગે હોસ્પિટલના ડૉક્ટર જણાવ્યું હતું કે, મોટી ઉંમરના દર્દીઓ જેવી સારવાર નાના બાળકોમાં નથી આપી શકાતી. જોકે બાળકોમાં ACE-2 રિસેપ્ટર ઓછા હોવાથી તેમનામાં કોરોના વાયરસ પ્રવેશવાની શક્યતાઓ ઓછી હોય છે. જેમના કારણે તેમને હળવી અસર જોવા મળે છે અને તેઓ ઝડપથી સાજા થયા છે.
વડોદરામાં બાળકોનો મૃત્યુદર 1.35 ટકા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોના વાયરસથી બાળકોનો મૃત્યુદર માત્ર 1થી 2 ટકાના વચ્ચે છે. વડોદરા વાત કરવામાં આવે તો વડોદરાનો મૃત્યુદર 1.35 ટકા ગણી શકાય. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા બાળકો 4થી 5 દિવસમાં જ સાજા થઇને ઘરે પરત ફરી રહ્યા છે.