2002માં ગુજરાતમાં થયેલાં રમખાણો અંગે રાજ્યનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા મુદ્દે જાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ત્યારે હવે જાકિયા જાફરીની આ અરજી પર 4 સપ્તાહ બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે 2002માં થયેલાં રમખાણ મામલે હાઈકોર્ટે SITની તપાસનાં રિપોર્ટ પ્રમાણે પીએમ મોદી સહિત 59 લોકોને ક્લીન ચીટ આપી હતી. ત્યાર બાદ જાફિયા જાકરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
મહત્વનું છે કે વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ થયેલાં રમખાણો અંગે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વિશેષ તપાસ દળ દ્વારા ક્લિન ચીટ આપવા વિરૂદ્ધ દાખલ કરેલી અરજીને સુપ્રિમ કોર્ટ દ્વારા જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવી હતી. આ અરજી જાકિયા જાફરીએ દાખલ કરી છે. જો કે હવે આ અરજી પર 4 સપ્તાહ બાદ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ દરમ્યાન અમદાવાદનાં ગુલબર્ગમાં મોટા પાયે હિંસા થઇ હતી કે જેમાં પતિ અહેસાનનું મોત થયું હતું. વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીનાં ગુજરાતનાં ગોધરામાં સાબરમતી ટ્રેનનાં કોચમાં આગ લગાવામાં આવી હતી. જેમાં ઘણાં લોકોનાં મોત થયાં હતાં.
જો કે બાદમાં આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. રમખાણ દરમ્યાન પીએમ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં. ત્યારે આ મામલા પર SITએ 8 ફેબ્રુઆરી 2012નાં રોજ તેનાં રીપોર્ટ સોંપ્યાં. બાદમાં મોદી અને અન્ય લોકોને ક્લીન ચીટ આપવામાં આવી. બીજી બાજુ જાકિયાની અરજીને બે વાર ફગાવી દેવાઇ.