પંચમહાલમાં કૂવામાં બોલેરો કાર ખાબકી જવાના કારણે બે લોકોના અકસ્માતે નિધન, કુલ ત્રણ લોકો સવાર હોવાની હતી આશંકા.
પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત
કૂવામાં ખાબકી બોલેરો કાર
આખી રાતના રેસ્ક્યૂ ઓપરેશન બાદ હાથ લાગી નિરાશા
ગુજરાતના પંચમહાલમાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગઇકાલ રાતથી ચાલી રહેલા રેસ્ક્યૂ બાદ બે લોકોના મોતના સમાચાર આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર થઈ જવા પામી છે.
ત્રણ લોકો સવાર હોવાની આશંકા
પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં દેલોચ ગામ નજીક એક મોટા કૂવામાં આખેઆખી બોલેરો કાર ગુરુવારના રોજ ખાબકી ગઈ હતી. કારની અંદર ત્રણ લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળ્યા બાદથી જ ત્રણ લોકોના જીવ બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
નિમિષા બહેન પણ પહોંચ્યા ઘટનાસ્થળે
કૂવામાં પાણી હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આખી રાત સંતરામપુર તથા ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળ્યા બાદ રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બે મૃતદેહ મળી આવ્યા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
જોકે શુક્રવારે સવાર સુધીમાં બે પુરુષોના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ શોધખોળ ચાલુ છે.