બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / ભાવનગર / 2 lions death in Saurashtra on the first day of the new year

ભાવનગર / નીલગાય પાછળ દોડતા સિંહ કુવામાં ખાબક્યો, નવા વર્ષના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં 2 સિંહના મૃત્યુ

Kiran

Last Updated: 09:41 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેત્રુંજી ડિવિજનમાં બે સિંહોના મોત થતા સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.

  • કુવામાંથી રેસ્કયુ કરાયેલ સિંહનુ મૃત્યુ 
  • નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મૃત્યુ 
  • સિંહોના મોતથી વન વિભાગ દોડતું થયું 

સૌરાષ્ટ્રમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ બે સિંહોનો મોત નિપજતા વન વિભાગ દોડતું થયું છે, અમરેલીના પાણીતાણામાં શેત્રુંજી ડિવિજનમાં બે સિંહોના મોત થતા સિંહોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. 

નવા વર્ષના પ્રથમ દિવસે 2 સિંહોના મૃત્યુ 

રાજુલાના કડીયાળી ગામે નીલગાયની પાછળ દોડતા બે સિંહો કુવામાં ખાબક્યા હતા જે બાદ સિંહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું જોકે આજે રેસ્ક્યૂ કરાયેલા બે સિંહોનું મુત્યું નિપજ્યું હતું. કુવામાંથી બહાર નીકળ્યા બાદ સિંહોને બાબરકોટ એનિમલ કેસ સેન્ટરમાં સારવાર અર્થે લવાયા હતા. આજે મહુવાના ખૂટવડા નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળી આવ્યા હતો. જો કે નવા વર્ષના પ્રથમ દિવસે જ 2 સિંહોના મોત થતા વન વિભાગ દોડતું થયું છે. 

સિંહોના મોતથી વન વિભાગ દોડતું થયું 

સૌરાષ્ટ્રનું પાલિતાણા શેત્રુંજી ડીવીઝન અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતું ડીવીઝન છે. ત્યારે અહીં પૂરતો સ્ટાફ અને સુવિધા ન હોવાને કારણે સિંહોના મોત વધી રહ્યા છે. સિંહો પણ સતત ગમે તે વિસ્તારમાં ઘુસી જાય છે. વન વિભાગ પાસે  સ્ટાફ પૂરતો નથી તો જરૂરી સાધનો પણ નથી જેને લઈ સિંહોની સુરક્ષા સામે સંકટ ઊંભુ થયું છે.

કુવામાંથી રેસ્કયુ કરાયેલ સિંહનુ મૃત્યુ 

રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક 1 ખેડૂતની વાડી વિસ્તારમાં શિકારની શોધમાં નીલગાય પાછળ સિંહ દોડતા નીલગાયનું મોત થયું હતું તેમજ સિંહ કૂવામાં ખાબક્યો હતો. જેને લઈ વનવિભાગ દ્વારા બચાવવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. સિંહને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહનું મોત થતા આમ આજના દિવસે નવા વર્ષમાં 2 સિંહોના મોત થયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ