ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની BRTS રૂટની સમીક્ષા વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં ફરી એકવાર બસ અકસ્માતમાં એક મહિલા મુસાફર અને ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી તેમને તુંરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મણીનગર ફુટબોલ ગ્રાઉન્ડ પાસે બની ઘટના
અકસ્માતમાં ડ્રાઇવર અને મહિલા મુસાફરને સામાન્ય ઇજા
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદમાં AMTS બસે ફરીએકવાર અકસ્માત કર્યો હતો. AMTS બસ ઝાડ સાથે ટકરાઇ હતી જેમાં તેનો આગળના ભાગનો કુચ્ચો થઈ ગયો હતો. આ ઘટના મણીનગરના ફુટબોલ ગ્રાઉન્ડ પાસે ઘટી હતી. એક તરફ રાજ્યના ગૃહપ્રધાન BRTS કોરિડોરની રૂબરુ મુલાકાત લઈને તપાસ કમિટી રચવાની વાત કરી રહ્યા હતા અને એ જ વખતે મણિનગરમાં બસ અથડાઈ હતી.
અકસ્માત મુદ્દે રાજ્ય લેવલે પડ્યા હતા પડઘા
અમદાવાદ અને સુરતમાં તાજેતરમાં જ BRTS બસની હડફેટે 8 લોકોના મોત થઈ ગયા હતા જેને પગલે રાજ્યભરમાં BRTS માટે રોષ ફાટી નીકળ્યો હતો. જેને પડઘા છેક ઉપલા લેવલ સુધી પડ્યા હતા પરિણામે આજે ગૃહપ્રધાને આ અંગે અમદાવાદ BRTS કોરિડોરની રૂબરુ મુલાકાત લીધી હતી એટલુ જ નહીં પરંતુ તેમણે આ અંગે તપાસની કમિટી રચવાની અને ખાસ દેખરેક હેઠળ ધ્યાન આપવાની વાત કરી હતી.