પંજાબની લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જિલ્લા કોર્ટના બીજા માળે થયેલા વિસ્ફોટમાં અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા હતા. જો કે, આ બ્લાસ્ટ શા માટે થયો, કોણે કર્યો, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ બ્લાસ્ટ લુધિયાણાની ડિસ્ટ્રિક કોર્ટની 9 નંબરની કોર્ટમાં થયો છે
વકીલોની હડતાળને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે બોમ્બ બ્લાસ્ટ હતો કે બીજું કંઈક. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે વકીલોની હડતાળને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કોર્ટ સંકુલમાં હાજર વકીલો દાવો કરી રહ્યા છે કે આ બોમ્બ બ્લાસ્ટ છે. જોકે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બ્લાસ્ટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
બ્લાસ્ટ બાદથી કોર્ટ પરિસરમાં અરાજકતાનો માહોલ છે. બ્લાસ્ટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનો બ્લાસ્ટ ક્યાંકને ક્યાંક સિસ્ટમ પર સવાલો ઉઠાવી રહ્યો છે.