ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મ ‘અંગીકાર’ કર્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચૂક્યા છે. ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવવામાં આવ્યાં હતા.
હિન્દુ ધર્મ મુજબ વિધી કરીને ફરી હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો
વૈદિક દીક્ષા શુદ્ધિકરણનો કાર્યક્રમ ડાંગના ભોગડીયા ગામના અગ્નિવીર દ્વારા યોજવામાં આવી હતી. દેશના વિકાસની સરખામણીએ ખૂબજ પછાત વર્ગમાં આ વિસ્તારને ગણવામાં આવે છે. જ્યાં કેટલાંક વર્ષોથી ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓ ચાલતી આવી છે.
ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મમાં અંગીકાર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી ધર્મનો અંગીકાર મિશનરીઓ દ્વારા ડાંગના ગરીબ વિસ્તારના આદિવાસીઓને વિવિધ પ્રકારની લાલચો આપી તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો
પરંતુ ખ્રિસ્તી મિશનરીઓના આવા સંમેલનોને લઈને હિંદુ ધર્મના સંગઠનો આગળ આવતા ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલ 144 આદિવાસી પરિવારોને અગ્નિવીર દ્વારા ફરીથી હિન્દુ ધર્મમાં લાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ સાધ્વી યશોદા દીદી અને ગુજરાતના અગ્નિવીર ચીફ નેહાબેન પટેલ, ગુજરાત અનુસૂચિત જનજાતિ મહેન્દ્રસિંહ રાજપુરોહિત. હિન્દુ ધર્મ જાગરણના ભાઈકુભાઇ પરેશભાઇ, ગાયકવાડ રામુભાઇ અંબેલાલ પટેલ અને મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો જેમાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.