અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર બ્લાસ્ટ કરનારું આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ ખુરાસન પ્રોવિન્સ (ISKP)માં કેરળના 14 લોકો સામેલ છે. કહેવાઈ રહ્યું છે કે તાલિબાનોએ આ લોકોને બગરામ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.
કાબુલમાં બ્લાસ્ટ કરનારા આતંકી સંગઠનમાં કેરળના 14 લોકો સામેલ
તાલિબાનોએ આ 14 લોકોને બગરામ જેલમાંથી મુક્ત કર્યા
તાલિબાનો ભારતની છબીને પહોંચાડશે નુકસાન: રિપોર્ટ
બે પાકિસ્તાનીઓની ધરપકડ
આ સિવાય તુર્કમેનિસ્તાનના દૂતાવાસ પર હુમલાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાનીઓની પણ ધરપકડ થયા હોવાના અહેવાલ છે. કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં 13 અમેરિકન સૈનિકો સહિત 200થી વધુ લોકોની મોત થઈ હતી.
કેરળના 14 રહેવાસી અફઘાનિસ્તાનમાં ISKPનો ભાગ બન્યાં
એક અગ્રગણ્ય વેબસાઈટના અહેવાલ અનુસાર, કેરળના 14 રહેવાસી અફઘાનિસ્તાનમાં ISKPનો ભાગ બની ગયા છે. આ સમજાવી રહ્યું છે કે આ 14 કેરળવાસીઓમાંથી એક જણાએ પોતાના ઘરમાંથી સંપર્ક કર્યો હતો, જ્યારે 13 રહેવાસીઓની કોઈ ભાળ મળી નથી. 2014માં મોસુલમાં પોતાને ઈસ્લામિક સ્ટેટ કહેનારા આતંકવાદી સંગઠનનું પ્રભુત્વ થયા બાદ મલપ્પુરમ, કાસરગોડ અને કન્નુર જિલ્લામાંથી એક સમુહ જેહાદીઓની સાથે સામેલ થવા માટે ભારત છોડીને ભાગ્યુ હતું. જેમાંથી અમુક પરિવાર ISKP હેઠળ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં રહેવા લાગ્યા હતા.
તાલિબાનો અને કટ્ટરપંથીઓ ભારતની છબીને પહોંચાડશે નુકસાન: રિપોર્ટ
રિપોર્ટ મુજબ, ભારત આ વાતને લઈને ચિંતિત છે કે તાલિબાન અને તેની સાથે જોડાયેલા કટ્ટરપંથી કેરળવાસીઓનો ઉપયોગ કરી ભારતની છબીને નુકસાન પહોંચાડશે. જોકે, તાલિબાને અત્યાર સુધી આ મામલે મૌન સેવ્યું છે. પરંતુ ગુપ્ત રિપોર્ટ બતાવે છે કે 26 ઓગષ્ટે કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ થયા બાદ પાકિસ્તાની નાગરિકો પાસેથી IED મળી આવ્યો હતો.
કાબુલ હક્કાની નેટવર્કના નિયંત્રણમાં
રિપોર્ટમાં અફઘાનિસ્તાન તરફથી આવતા રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે કાબુલ હક્કાની નેટવર્કના નિયંત્રણમાં છે. કારણકે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા નંગહાર રાજ્યમાં જાદરાન પશ્તૂન જાતિનો પ્રભાવ છે અને આ સિવાય જલાલાબાદ-કાબુલમાં તેઓ અસરકારક છે. અન્ય એક રિપોર્ટ મુજબ, ISKP પહેલાં પણ નંગરહાર રાજ્યમાં હક્કાની નેટવર્ક સાથે કામ કરી ચુક્યુ છે.