સ્પીડની મજા મોતની સજા.. આ સૂત્ર તો તમે અનેક સ્થળે જોયું હશે.. અમદાવાદનો એસ.જી. હાઈ-વે પર આજકાલ આવું જ થઈ રહ્યું છે. ટ્રાફકિ નિવારણ માટે હાઈ-વે સકિ્સલેન કર્યો. બ્રિજ બનાવ્યા અને હવે વાહન ચાલકો સ્પીડ લિમિટ તોડી રહ્યા છે. અને સજા કોઈ અન્ય ભોગવી રહ્યું છે.. પાંચ માસમાં એસ.જી. હાઈ-વે પર 14 લોકોએ જિંદગી ગુમાવી છે. આ આંકડા સામે આવ્યા બાદ હાઈ-વે પર એક સર્વે થયો.
એસ.જી. હાઈ-વે પર સ્પીડ પર બ્રેક ક્યારે?
અમદાવાદનો સૌથી વ્યસ્ત રહેતો હાઈ-વે કોઈ હોય તો તે છે એસ.જી. હાઈ-વે.. સરખેજથી ગાંધીનગરને જોડતો આ હાઈ-વે સિક્સલેન છે. અને મલ્ટીપલ બ્રિજ પણ બનાવ્યા છે જેથી લોકોને ટ્રાફકિ સિગ્નલમાંથી મુક્તિ મળે. હવે ગાંધીનગર માત્ર 20 મિનિટમાં પહોંચી શકાય છે અને સમયની બચત પણ થાય છે. પણ કેટલાક બેફામ વાહનચાલકો પૂરઝડપે વાહન હંકારે છે. તો કેટલાક રેસ લગાવે છે. જેના પરિણામે એસ.જી. હાઈ-વે પર અકસ્માત વધ્યા છે.. છેલ્લા 5 મહિનામાં હાઈ-વે પર 49 અકસ્માત થયા છે. જેમાં નવયુગલથી માંડીને મેડકિલ સ્ટૂડન્ટ સહિત 14 લોકોના મૃત્યુ થયા છે.. આ જ કારણ છે કે સરકારી તંત્ર જાગ્યું અને એસ.જી. હાઈ-વે પર અકસ્માત થવા પાછળના કારણો શોધવા સર્વે કર્યો.
સરકારે કરાવ્યો એસજી હાઈવેનો સર્વે
સરકારે એક ટીમ બનાવી અને એસ.જી. હાઈ-વેનો સર્વે કરવામાં આવ્યો જેમાં સરખેજ ફ્લાયઓવરથી અંદાજ પાર્ટી પ્લોટ સુધી, YMCA ક્લબ નજીકના જંક્શન, પ્રહલાદનગર ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, ઈસ્કોન ઓવરબ્રિજ પહેલાનો સર્વિસ રોડ, પકવાન ફ્લાયઓવર, થલતેજ અંડરપાસ, ઝાયડસ અને ગોતા ફ્લાયઓવર, નિરમા યુનિવર્સિટી પાસે, વૈષ્ણોદેવી ફ્લાયઓવર, અડાલજ ફ્લાયઓવર અને સરગાસણ ફ્લાયઓવર પાસે સર્વે કરવામાં આવ્યો.વાહનચાલકોની ઉતાવળે વાહન ચલાવવાની વૃત્તિના કારણે અકસ્માત વધે છે..
સર્વેમાં કઈ ખામી સામે આવી?
એસ.જી. હાઈ-વે પર કરેલા સર્વેમાં અકસ્માત માટે અનેક કારણો સામે આવ્યા છે. જેમાં રાહદારીઓ ઝિબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરવાના બદલે ગમે ત્યાંથી રોડ ક્રોસ કરે છે, સલામતી માટે ઉભી કરેલી જાળી, સાઈન બોર્ડ તોડી નાખવામાં આવેલા છે, ગેરકાયદે પાકિાંગ, ઓવરબ્રિજ પર વાહનો પાકા કરી લોકો ઉભા રહે છે, જરૂરી જગ્યાએ બમ્પ નથી, સાઈન બોર્ડની સૂચનાનનું પાલન નથી થતું, વાહનોની ઓવર સ્પીડ, ગોતા ફ્લાયઓવર અને નિરમા યુનિવર્સિટી વચ્ચે રસમ હોટલ પાસે રસ્તો ક્રોસ કરવો, અકસ્માત રોકવા મુકાયેલા હેઝાર્ડ માકાર તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા..હાઈ-વેના સર્વે બાદ અકસ્માત થવા પાછળના કારણો જાણવા મળ્યા અને આ અંગે વિભાગોને સૂચના પણ આપવામાં આવી છે. જેમાં એક સ્થળે ડિવાઈડરને રિએરેન્જ કરવા, 3થી 4 જગ્યાએ ગેન્ટ્રી બોર્ડ મુકવા, પ્રહલાદનગર જંક્શન પર પોલીસની છત્રી દૂર ખસેડવી, જરૂર જગ્યાએ કેટ આઈ મૂકવા, જરૂરી સ્થળે બમ્પ ઉભા કરવા, ફૂટ ઓવરબ્રિજની શક્યતા તપાસવી, રોડ માકિાંગ અને બમ્પ માકિાંગ કરવા, સ્પીડ અંગેના સાઈન બોર્ડ મુકવા, ઓવરબ્રિજ પર ગેરકાયદે પાકિાંગ રોકવા પેટ્રોશલગ વધારવું, બમ્પ શક્ય ન હોય ત્યાં થર્મો પ્લાસ્ટના પ?ા મુકવા, ઓવરબ્રિજ પહેલા કે પછાૃ ઉભા ન રહેવાનું સૂચન બોર્ડ મુકવું.જેવા આદેશ આપવામાં આવ્યા છે.
વિભાગોને કઈ સૂચના અપાઈ?
આમ તો એસજી હાઈ-વે ટ્રાફકિ નિવારણ માટે બનાવાયો હતો. શરૂઆતમાં ફોર લેન અને ત્યાર બાદ સિક્સલેન કરીને સરખેજથી ગાંધીનગર સુધી અનેક બ્રિજનું નિર્માણ કર્યું છે જેથી વાહન ચાલકોનો સમય બચે છે. પણ અકસ્માતો વધી ગયા છે. એસજી હાઈ-વે પર સ્પીડ ગનથી સ્પીડ લિમિટ ચેક કરવાની પણ વાતો થઈ રહી હતી. જોકે તેમાં પણ પોલીસ નિષ્ફળ રહી હોય તેમ લાગી રહ્યું છે.. ત્યારે જોવું રહ્યું કે એસ.જી. હાઈ-વે પર વાહનોની સ્પીડ પર બ્રેક ક્યારે લાગશે?