ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવે પૂરના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે.
ઉત્તર પ્રદેશમાં અવિરત વરસાદને કારણે સામાન્ય જન-જીવન ખોરવાયું
રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત
રાજ્યમાં છેલ્લા 24 કલાક 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે દોઢ ડઝન જિલ્લાના 1370 ગામોમાં પૂરની સ્થિતિ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 6 લોકોના મોત થયા છે. રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે.
उत्तर प्रदेश: लखीमपुर खीरी शहर के कई हिस्सों में भारी बारिश के कारण बाढ़ जैसी स्थिति बन गई है। pic.twitter.com/k4bn0qLkmo
છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મૃત્યુ
રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે વીજળી પડવાથી, સર્પદંશ અને ડૂબી જવાથી એક-એક વ્યક્તિના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં અતિવૃષ્ટિ, વીજળી પડવા, સર્પદંશ અને ડૂબી જવાથી થયેલા 6 લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારોને રાહતની રકમનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો આ નિર્દેશ
મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે જરૂરીયાત મુજબ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને PACની ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. રાહત કમિશનરની કચેરી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, બદાઉન (કચલાબ્રિજ) ખાતે ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.