નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન ડિરેક્ટર જનરલ ડીજીસીએને મળ્યું કે પાછલાં વર્ષે એયર ઇન્ડિયાનાં 130 પાયલોટ અને 430 ક્રૂ મેમ્બરોએ ઉડાણની પહેલાં અને પછી ફરજિયાત રીતે તેઓ આલ્કોહોલ તપાસથી બચતાં રહ્યાં છે. એવામાં આ પાયલટો અને ક્રૂ મેમ્બરોને ડ્યૂટી પરથી હટાવી શકે છે.
સૂત્રોએ જણાવ્યાં અનુસાર ક્રૂ મેમ્બર સિંગાપુર કુવૈત બેંગકોક અમદાવાદ અને ગોવા જેવી પ્રચલિત જગ્યાઓનાં ઉડાણમાં વધુ સમય સુધી ફરજિયાત રીતે આલ્કોહોલ તપાસથી તેઓ અવારનવાર બચતા રહ્યા છે. એમણે જણાવ્યું કે ડીસીજીએ ક્રૂ મેમ્બરો દ્વારા સુરક્ષા ધોરણોનાં ઉલ્લંઘનને લઇને પહેલેથી જ એયર ઇન્ડીયા પ્રબંધનને અંતિમ ચેતવણી આપી ચુકેલ છે.
ડીસીજીએનાં સુરક્ષા ધોરણોને અનુસાર ફ્લાઇટ ઉડે તે પહેલાં દરેક ક્રૂ મેમ્બરો અને પાયલટોને આલ્કોહોલની તપાસ કરાવવી ફરજિયાત છે. એયર ઇન્ડિયાએ આનાં પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પોતે ડીસીજીએની જોગવાઇઓનું સંપૂર્ણ પાલન કરે છે અને તે નિયામકોનાં દરેક નિયમોનું પાલન પણ કરે છે.
એયર ઇન્ડિયાએ નિવેદન આપતાં કહ્યું કે અમે ડીસીજીએ સાથે કામ કરી રહ્યાં છીએ અને ડીસીજીએનાં દરેક આદેશોનું પાલન કરીશું. એક સૂત્રધારીએ જણાવ્યું કે ડીસીજીએ એયર ઇન્ડિયાનાં મેનેજમેન્ટનાં સંચાલનમાં એ બાબતનો સમાવેશ કરી ચૂકેલ છે કે એમનાં 132 પાયલટો અને 134 ક્રૂ મેમ્બરોએ ફરજિયાત આલ્કોહોલની તપાસનું ઉલ્લંઘન કરેલ છે.
આ ઉલ્લંઘન એ એક પ્રકારનું સુરક્ષાનાં ધારાધોરણોનું ઉલ્લંઘન કહેવાય અને ડીસીજીએ આ વખતે આ ક્રૂ મેમ્બરોનાં વિરૂદ્ધ આવશ્યક પગલાં પણ લેશે. પરંતુ આટલાં ક્રૂ મેમ્બરોને એક વારમાં જ આટલાં પાયલોટ અને ક્રૂ મેમ્બરોને કામમાંથી દૂર ન કરી શકે જેથી એક સિસ્ટમ અનુસાર ડીસીજીએ પાયલોટ અને ક્રૂ મેમ્બરોનાં વિરૂદ્ધ પગલાં ભરશે.