અલીગઢ: હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી મુન્નાન વાણીને ભારતીય સેનાએ ઠાર માર્યા બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેની યાદમાં શોકસભા આયોજિત કરવાના મામલે વિવાદ વકર્યો છે. AMUમાં કેટલાય વિદ્યાર્થીઓએ તંત્રને વિદ્યાર્થીઓ સામે કરેલી કાર્યવાહી પરત ખેંચવા કહ્યું છે.
વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો યુનિવર્સિટી તંત્ર એમ નહીં કરે તો બારસો કશ્મીરી વિદ્યાર્થીઓ આગામી 17 ઓક્ટોબરના રોજ સામૂહિક રીતે પોતાની ડિગ્રી યુનિવર્સિટીમાં સરન્ડર કરશે અને પોતાના ઘરે પરત ફરશે.
વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કશ્મીરી વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી તંત્રએ બે કશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથો સાથ શો કોઝ નોટિસ પણ ફટાકરી છે. આ બાદ કશ્મીરી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે.