મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક લોકો જીવ ગુમાવ્યા છે તો કેટલાય લોકો પોતાના પોતીકા ગુમાવ્યા છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તો કેટાલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. જેમાં અનેક પરિવારના માળા વિખરાયા છે. દુર્ઘટનામાં કોઈ માતા-પિતા ગુમાવ્યા છે તો કોઈ ભાઈ બહેન ગુમાવ્યા છે. આજે અનેક પરિવારમાં આસુડાનો દરિયો વહી રહ્યો છે. સૌ કોઈ શોકમગ્ન થી ગયા છે. મોરબી પુલ દુર્ઘટનાએ સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોનો જીવ લીધો છે.
સાંસદ મોહન કુંડારિયાએ સ્વજનો ગુમાવ્યા
મોરબી પુલ દુર્ઘટનાએ સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોનો જીવ લીધો છે. જબલપુરમાં રહેતા મોહન કુંડારિયાના બનેવીના ભાઈના પરિવારના 12 સભ્યોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં જબાલપુરના સુંદરજી બોડાના પરિવારની 4 દીકરી, 3 જમાઈ અને 5 ભાણેજના મૃત્યુ છે. આ પરિવાર નવા વર્ષ નિમિતે ઝૂલતા પુલની મુલાકાતે ગયો હતો. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો જેમાં ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે.
જબલપુર ગામ શોકમાં
મોરબીમાં ઝુલતા બ્રિજ તૂટી દુર્ઘટનામાં મોરબીના જબલપુર ગામે શોકમાં શરી પડ્યો છે. દુર્ઘટનામાં જબલપુર ગામમાં 12 લોકોના મૃત્યુ થયા. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાના 12 સ્વજનોના મૃત્યુ થયા છે. સુદરજીભાઈ બોડાના પરિવારની 4 દિકરી, 3 જમાઈના, 5 ભાણેજના મૃત્યુ થયા છે. જબલપુર ગામમાં એક જ પરિવારના 12 લોકોના મૃત્યું થતાં સમગ્ર ગામ શોકમાં શરી પડ્યો છે.