પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 12 બાળકોના મોત થઈ ચુક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મોત એડિનોવાયરસથી થઈ છે. જોકે સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે આ સિઝનમાં આ બિમારીઓ સામાન્ય છે. એવામાં જાણવું જરૂરી છે કે આ એડિનોવાયરલ છે શું? તેનાથી કઈ રીતે બચી શકાય?
શું છે આ એડિનોવાયરલ?
પ.બંગાળમાં થયા 12 બાળકોના મોત
જાણો તેનાથી કઈ રીતે બચી શકાય?
કોરોના વાયરલ બાદ હવે વધુ એક વાયરલ પોતાના પગ પસારી રહ્યો છે. તેનું નામ એડિનોવાયરસ છે. હાલ આ વાયરલ પશ્ચિમ બંગાળમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એડિનોવાયરસની ઝપેટમાં નાના બાળકો આવી રહ્યા છે.
સરકારી આંકડાઓ અનુસાર પશ્ચિમ બંગાળમાં એડિનોવાયરસના કારણે અત્યાર સુધી 12 બાળકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી આઠ એવા હતા જે પહેલાથઈ જ કોઈને કોઈ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. જોકે પ્રશાસને છેલ્લા 24 કલાકમાં થયેલા મોતને એડિનોવાયરસ ડેથ નથી માની. તેમનું કહેવું છે કે સિઝનમાં સંક્રમણ સામાન્ય છે.
5 હજાર બેડ તૈયાર કરવામાં આવ્યા
પ્રશાસને જણાવ્યું છે કે તે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર થઈ રહ્યા છે કે છેલ્લા એક મહિનામાં એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના 5,213 કેસ સામે આવ્યા છે. ARI એક સામાન્ય સમસ્યા છે. આ વર્ષે કેસ એટલે વધારે સામે આવ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે આ પડકમાં ન હતા આવ્યા.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. સરકારે એક ઈમરજન્સી હેલ્પલાઈન નવેમ્બર-1800-313444-222 પણ જાહેર કરી છે.
શું છે એડિનોવાયરસ?
એડિનોવાયરસ ઈન્ફેક્શન એક વાયરલ બિમારી છે જે એડિનોવાયરસના કારણે થાય છે. આ રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે કે શ્વાસની નળી પર હુમલો કરે છે. તેનાથી સંક્રમિત થવા પર સામાન્ય કોલ્ડ જેવા સંક્રમણ થાય છે.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર એડિનોવાયરસથી કોઈ પણ ઉંમરના વ્યક્તિ ગમે ત્યારે સંક્રમિત થઈ શકે છે. નાના બાળકોને તેનાથી વધારે ખતરો છે.
પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે બે વર્ષ સુધીના બાળકોને તેનો વધારો ખતરો છે. તેનાથી મોટી ઉંમરના બાળકોના સંક્રમિત થવાના ચાન્સ ઓછા છે.
શું છે લક્ષણ?
તેનાથી સંક્રમિત થવા પર કોમન કોલ્ડ અથવા ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે. તેના ઉપરાંત તાવ, ગળુ સુકાવું, એક્યુટ બ્રોંકાઈટિસ જેવી સમસ્યા પણ થાય છે.
આ બધા ઉપરાંત નિમોનિયા, આંખોમાં ગુલાબીપણુ, ડાયેરિયા, ઉલ્ટી અને પેટમાં દુખાવા જેવી ફરિયાદ પણ થાય છે. અમુક લોકોને બ્લેડર ઈન્ફેક્શન પણ થાય છે.
કઈ રીતે ફેલાય છે આ વાયરસ?
આ વાયરલ બીમારી છે જેના કારણે તેના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. હવા દ્વારા કે ખાસી કે છીકછી તે ફેલાઈ શકે છે. જો કોઈ સપાટી પર એડિનોવાયરસ રહેલો છે અને તેને તમે સ્પર્શ કરો છો અથવા તેના સંપર્કમાં આવો છો તો વાયરસના લપેટામાં આવી શકો છો.
સીડીસી અનુસાર ઘણી વખત એડિનોવાયરસ સંક્રમિત વ્યક્તિના મળથી પણ ફેલાઈ શકે છે. ઉદાહરણ તરીકે ડાયપર બદલતી વખતે ઘણી વખત સ્વિમિંગ પુલથી પણ ફેલાઈ શકે છે. પરંતુ આ સામાન્ય નથી.
સારવાર અને બચવાની રીત
સીડીસીનું કહેવું છે કે આ વાયરસથી બચવા માટે થોડી થોડી વારે ઓછામાં ઓછા 20 સેકેન્ડ સુધી સાબુથી હાથ ધોવો
ગંદા હાથોથી આંખો, નાક અને મોઢાને સ્પર્શ ન કરો. જે લોકો બીમાર છે તેમના સંપર્કમાં આવવાથી બચો.
જો તમે બીમાર છો તો ઘર પર જ રહો. ખાંસતી કે છીકતી વખતે ટીશૂનો ઉપયોગ કરો. પોતાના વાસણ બીજા સાથે શરે ન કરો.
સીડીસી અનુસાર એડિનોવાયરસની કોઈ ખાસ દવા કે સારવાર નથી. મોટાભાગના એડિનોવાયરસ ઈન્ફેક્શનમાં હલ્કા લક્ષણ હોય છે અને દુખાવો કે તાવની દવાથી તે ઠીક થઈ જાય છે.