દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 85,546 પહોંચી છે તો કોરોનાને કારણે 2700થી વધુ લોકોના મોત થયાં છે. કોરોનાના આ ફેલાવાને ઘટાડવા માટે લૉકડાઉન-4 લાગૂ કરવામાં આવનાર છે.
આ સાથે જ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 18 મેથી કેટલીક છૂટછાટ સાથે લૉકડાઉન-4 લાગૂ કરવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત
11 રાજ્યોની સરકાર લૉકડાઉનને લઇને તૈયાર કરી રહી છે રણનીતિ
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કરેલ રાષ્ટ્રજોગ સંબોધનમાં છૂટછાટ સાથેના લૉકડાઉન-4ને લઇને ઇશારો કર્યો હતો. ત્યારે દેશના 11 રાજ્યો 18 મેથી આ લાગૂ થનાર આ લૉકડાઉનને લઇને ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યા છે જેમાં ગુજરાત પણ સામેલ છે.
ગુજરાત
રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન રહી શકે છે. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં છુટાછાટ અપાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રખાશે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગરમાં લોકડાઉનનો કડક અમલ કરાવાશે. ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વધુ પડતી છૂટછાટ આપવામાં આવી શકે. જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને તેમાં અઠવાડિયામાં બે દિવસમાં ડિવાઈડ કરવામાં આવશે અને કયા વારે કયો ધંધો શરૂ કરવા દેવાશે તેની જાહેરાત કરવામાં આવશે.
જ્યારે ખેડૂતોને અને ખેતી વિષયક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે છૂટછાટ આપવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. જ્યારે ગ્રીન ઝોનમાં બસ સેવા શરૂ કરાય તેવી પણ શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે.
હરિયાણા
અહીં કેટલાક ફેરફાર સાથે લૉકડાઉન યથાવત રહી શકે છે. રાજ્યની સરહદો પર શરતોમાં છૂટ સાથે પાબંધીઓ યથાવત રહી શકે છે. રાજ્યના દશ જિલ્લામાં રાજ્ય પરિવહન ચાલું કરવાની યોજના છે. રાજ્ય સરકાર 18 મેથી માત્ર દિલ્હી રેલવે સ્ટેશન માટે બસ સેવા શરૂ કરવાનું વિચાર રહી છે. ઔદ્યોગિક અને વ્યવસાયિક ગતિવિધિઓ 18 મે સુધી લંબાવવામાં આવી શકે છે.
પંજાબ
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં લૉકડાઉન યથાવત થઇ શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન પ્રતિબંધોમાં થોડી છૂટછાટ શક્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર રેડ ઝોનમાં કેટલાક નાના, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને શરતો અને શરતો સાથે ખોલવાનું વિચારણા કરવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશ
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રઓના જણાવ્યા મુજહ રાજ્યમાં ધંધાદારી ગતિવિધિઓ વધારીને લૉકડાઉનને યથાવત રાખવાનો વિચાર ચાલી રહ્યો છે. રાજ્યમાં સરહદ બંધ રહેશે. ઔદ્યોગિક તથા વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે-ધીમે શરૂ કરવામાં આવશે. આ સાથે જ રાજ્યની અંદર અવર-જવર કરી શકાશે.
ઓડિશા
સૂત્રોએ જણાવ્યું હતું કે ઓડિશામાં કોવિડ ફક્ત 19 કન્ટેનમેન્ટ ઝોનમાં કડક રહેશે. અન્ય ઝોનમાં લોકડાઉનમાં બાંધછોડ કરવામાં આવશે. જો કે, સોશિયલ ડિસ્ટેન્સિંગનો ધ્યાન રાખવું ફરજીયાત છે.
ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના રેડ ઝોનમાં પ્રતિબંધો ચાલુ રહી શકે છે. રેડ ઝોનના સીલ હોટસ્પોટની બહાર એક તૃતીયાંશ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ખાનગી ઓફિસોમાં પહેલાથી જ 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉત્પાદન અને કૃષિ કાર્ય પણ શરતો સાથે શરૂ કરી દેવામાં આવ્યા છે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાક પ્રતિબંધો સાથે સામાન્ય જીવનની શરૂઆત થઈ શકે છે. જો કે, મોલ્સ, જીમ, રેસ્ટોરાં, શાળાઓ વગેરે ખોલવામાં આવશે નહીં.
બિહાર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારના કેટલાક સેક્ટરમાં વ્યવસાયિક છૂટછાટ સાથે લૉકડાઉન લંબાવવામાં આવી શકે છે.
મધ્ય પ્રદેશ
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે ગ્રીન ઝોનમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. રાજ્યના ગ્રીન ઝોનમાં ઓડ-ઇવન ફોર્મ્યૂલા અનુસાર દુકાન ખોલવામાં આવી શકે છે. રેડ જોનમાં પણ કેટલાક નિયંત્રણો સાથએ ગતિવિધિઓ સાથે છૂટ અપાઇ શકે છે.
રાજસ્થાન
કોવિડ-19 સંક્રમણ પ્રભાવિત વિસ્તારને છોડીને રાજ્ય સરકાર લૉકડાઉન વધારવાના મૂડમાં નથી. સરકાર ઇચ્છે છે કે, ગ્રીન ઝોનમાં વ્યવસાયિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવે. મુખ્મમંત્રી ગેહલોતે પ્રધાનમોદીને આગ્રહ કર્યો હતો કે, ઝોન નિર્ધારણનું કામકાજ રાજ્યોને સોંપવામાં આવે જેથી આર્થિક ગતિવિધિઓ શરૂ કરી શકાય.
આસામ
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે સરકાર વધુ 2 અઠવાડિયા લૉકડાઉન વધારી શકે છે. માત્ર કન્ટેનમેન્ટમાં જ કડક નિયમ લાગૂ રહી શકે છે. અન્ય ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટેન્સિગની સાથે છૂટછાટ આપવામાં આવી શકે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે ઇચ્છા પ્રગટ કરી ચૂકી છે કે, લૉકડાઉન મુંબઇ મહાનગરીય ક્ષેત્ર, સોલાપુર, પુણે, ઓરંગાબાદ અને માલેગાવમાં 31 મે સુધી લંબાવવામાં આવી શકે છે.