ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે પૂર્વ બેટ્સમેન લાલચંદ રાજપૂતે પોતાની દાવેદારી પેશ કરી છે. રાજપૂત અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમને કોચિંગ આપી ચુક્યા છે.
ભારત અને મુંબઇના પૂર્વ બેટ્સમેન લાલચંદ રાજપૂતે પણ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પજ માટે પોતાની દાવેદારી પેશ કરી છે. રાજપૂતે મંગળવારે મુખ્ય કોચ પદ માટે અરજી કરી.
આ ઉપરાંત ભારતી ટીમના પૂર્વ ઑલરાઉન્ડર રૉબિન સિંહે પણ આ પદ માટે ખુદને દાવેદાર તરીકે રજૂ કર્યા છે. બીસીસીઆઇએ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 બાદ ટીમના નવા કોચ માટે જાહેરાત નિકાળી હતી. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે સેમીફાઇનલ સુધીની સફર નક્કી કરી હતી. જ્યાં એને ન્યૂઝીલેન્ડના હાથનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
હાલ બોર્ડે રવિ શાસ્ત્રીની અધ્યક્ષતા વાળા મુખ્ય કોચિંગ સ્ટાફનો કાર્યકાળ ભારતના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ સુધી વધારી દીધો છે.
આ વર્ષે મે મહિનાથી રાજપૂત ઝિમ્બાબ્વે ટીમનું કોચિંગ કરી રહ્યા હતા. રાજકારણની દખલગીરીના કારણએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધું છે.
આ સમયે રાજપૂતને કેનેડામાં રમાવવા જઇ રહેલી ગ્લોબલ ટી 20 લીગમાં વિનિપેગ હૉક્સને કોચ કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
રાજપૂતે મંગળવારે એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું તે ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે અરજી કરવાની વાતનો સ્વિકાર કર્યો છે. એમને કહ્યું, 'હું આવી ટીમ ઇન્ડિયાનો કોચ બનીને ગર્વ મહેસૂસ કરીશ જેમાં ખૂબ જ ટેલેન્ટ છે. એને બસ સાચી દિશા આપવાની જરૂર છે.'
એમને કહ્યું, 'મને વિવિધ સ્તરો પર 20 વર્ષ સુધી કોચિંગનો અનુભવ છે. હું એકલો ભારતીય કોચ છું જેને ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન જેવી આંરરાષ્ટ્રીય ટીમોને કોચિંગ આપ્યું છે.' રાજપૂત નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરથી સર્ટિફાઇડ લેવલ 3 કોચ છે.
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં જ્યારે ભારતીય ટીમે વર્ષ 2007માં પહેલો આઇસીસી વર્લ્ડકપ ટી20 જીત્યો અને પછી જ્યારે ટીમે 2008માં ઓસ્ટ્રેલિયામાં ટ્રાએંગુલર સીબી સીરિઝ જીતી, ત્યારે રાજપૂત ટીમના મેનેજર હતા.