પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અલી જરદારીને નકલી બેંક અકાઉન્ટ મામલામાં નેશનલ અકાઉન્ટિબિલિટી બ્યૂરોએ સોમવારે ધરપકડ કરી લીધી છે.
એનએબીની એક ટીમ જરદારીના ઘરે પહોંચી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ અધ્યક્ષ જરદારીની ધરપકડ કરી લીધી, નકલી બેંક અકાઉન્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે જરદારી અને એમની બહેન ફરયાલ તાલપુરની અંતરિમ જામીનને વધારવાની અરજીને ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે ત્યારબાદ એનએબીને જરદારી અને ફરયાલની ધરપકડનો આદેશ આપ્યો.
નકલી ખાતા મામલે સામનો કરી રહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ સહ અધ્યક્ષ આસિફ અલી અલી જરદારીની ધરપકડ કરી લેવામાં આવી છે. સોમવાલે આ મામલે જરદારી અને એમની બહેન ફરયાલ તાલપુરને ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝટકો આપતા સ્થાઇ જામીન આપવાની ના પાડી દીધી.
નકલી ખાતા મામલે ન્યાયાધીશ અમીર ફારૂખ અને ન્યાયમૂર્તિ મોહસિન અખ્તાર કયાનીની ખંડપીઠ બંનેની સ્થાઇ જામીનની સુનવણી કરી રહી છે.
Pak Media: NAB has arrested former Pakistan President Asif Ali Zardari in fake bank accounts case. (File pic) pic.twitter.com/zwI5Ci0sf3
તો બીજી બાજુ તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ પાકિસ્તાનના લોકોને દેશને બચાવવાની ગુહાર લગાવી છે. એમનું કહેવું હતું કે જો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને હટાવવામાં નહીં આવે તો દેશ ક્યાંયનો રહેશે નહીં. પાકિસ્તાનની નીચે પડતી અર્થવ્યવસ્થાને લઇને પૂર્વ રાષ્ટ્રપતિ જરદારીને લોકોની તકલીફો દૂર કરા માટે ઇમરાન ખાનને તત્કાલ પ્રભાવથી હટાવવાની વાત કહી નાંખી હતી.