ઉત્તર ગુજરાતના પાટણમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં ભરતસિંહ સોલંકીના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસની ન્યાય યાત્રા પાટણમાં
ભરતસિંહ સોલંકીનું નિવેદન
તમે તમારું જ કર્યું ભલું -ભરતસિંહ
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે, ભાજપ,આપ કે કોંગ્રેસ પ્રજાની નાડ પારખવાની કવાયદમાં લાગી ગયા છે.પહેલા ભાજપે જન આશિર્વાદ યાત્રા કાઢી.તો આપ પાર્ટીએ જ્ન સંવેદના યાત્રાથી લોકસંપર્ક કર્યો, ગુજરાત કોંગ્રેસ, કોરોના સંક્રમણ વેળા હતભાગી જનોના પરિવાર માટે ન્યાય યાત્રામાં વ્યસ્ત છે.રવિવારે પાટણ પહોચેલી ન્યાય યાત્રામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું ,તમે ખૂબ રાજ કર્યું,હવે અમને રાજ કરવા દો'
હવે અમને કરવા દો રાજ
પાટણના નોરતા ગામે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું ક, તમે માત્ર તમારું જ ભલું કર્યું છે.હવે અમને રાજ કરવા દો,અમે ગુજરાતનું કલ્યાણ કરીશું.