બળ બુદ્ધિ અને પરાક્રમનાં દેવતા હનુમાનજીની 31 માર્ચે જયંતિ મનાવવામાં આવશે. આમ તો તે ચૈત્ર માસની પૂનમે ઉજવાય છે જે આ વખતે 9 વર્ષ પછી માર્ચમાં આવી રહી છે. જેથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. જેથી શુભ મુહૂર્તમાં પૂજા કરશો તો તમારા પર શુભ પ્રભાવ પડશે અને બધા કષ્ટો પણ દૂર થશે.
સામાન્ય રીતે હનુમાન જયંતિ એપ્રિલ મહિનામાં આવે છે. પણ આ વખતે 9 વર્ષ પછી હનુમાન જયંતી માર્ચ મહિનામાં ઉજવાશે. આ પહેલા 2008માં હનુમાન જયંતિ 31 માર્ચે આવી હતી જ્યારે આ વર્ષે પણ તે 31 માર્ચના ઉજવવામાં આવશે.
આ રીતે હનુમાન જયંતી પર કરો ભગવાનની પૂજા:
હનુમાન જયંતીના શુભ મુહૂર્તે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને લાલ વસ્ત્રો પહેરી લાલ આસન પર હનુમાનજીની સ્થાપના કરો.ત્યાર બાદ હનુમાનજીને સિંદૂરનો ચાંદલો કરો લાલ ફૂલ અર્પણ કરો અને ધૂપ-દીપથી તેમની આરતી ઉતારો.